West bengalમાં મુખ્યમંત્રી Mamata Banerjee એ જાહેરાત કરી છે કે તે વિધાનસભાની ચૂંટણી નંદીગ્રામ સીટ પરથી જ લડશે. નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પડકાર ફેંક્યો છે. શુભેન્દુ અધિકારી એક સમયે મમતા બેનર્જીની નજીકના વિશ્વાસપાત્ર અને નજીકના માનવામાં આવતા હતા પરંતુ હવે તેઓ ભાજપમાં છે અને એવું માનવામાં આવે છે કે ભાજપ તેમને નંદીગ્રામથી મેદાનમાં ઉતારશે.
શુક્રવારે મિદનાપુરમાં એક સભાને સંબોધન કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું, ‘ઉમેદવારોની સૂચિ મુજબ મુખ્યમંત્રી Mamata Banerjee નંદીગ્રામથી ચૂંટણી લડશે. ખૂબ સારું, અમે તેનું સ્વાગત કરીએ છીએ. ‘ તેમણે નંદીગ્રામની જનતાને પણ અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમને મિદનાપુરનો પુત્ર જોઈએ છે, બાહ્ય લોકોની જરુર નથી. અમે તમને રાજકીય યુદ્ધના મેદાનમાં જોઈશું. 2 મેના રોજ તમે હારશો અને નંદિગ્રામ છોડશો. નંદીગ્રામ પૂર્વ મિદનાપુર જિલ્લામાંઆવે છે.
તમને જણાવી દઈએ કે Mamata Banerjee પશ્ચિમ બંગાળમાં ભાજપને ઘણીવાર બાહ્ય વ્યક્તિ તરીકે સંબોધન પણ કરતા હતા. શુક્રવારે મમતા બેનર્જીએ 291 ટીએમસી ઉમેદવારોની યાદી બહાર પાડી હતી અને કહ્યું હતું કે તે આ વખતે ભવાનીપુરથી નહીં પરંતુ તેવો માત્ર નંદીગ્રામથી ચૂંટણી લડશે. મમતા બેનર્જી 2011 થી ભવાનીપુરના ધારાસભ્ય છે.
ઉમેદવારોની જાહેરાત કર્યા પછી મમતા બેનર્જીએ કહ્યું કે અમે ઉમેદવારોની યાદી જાહેર કરનાર પ્રથમ રાજકીય પક્ષ છે. અમે 291 ઉમેદવારોની યાદી બહાર પાડી રહ્યા છીએ, જેમાં 50 મહિલાઓ, 79 એસસી, 17 એસટી અને 42 મુસ્લિમ ઉમેદવારો સામેલ છે. અમે ઉત્તર બંગાળની ત્રણ બેઠકો પર ઉમેદવારો નહીં ઉભા રાખીએ. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 8 તબક્કામાં મતદાન યોજવવાનું છે. જેનું પરિણામ 2 મેના રોજ આવશે. આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.