કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ પૂછ્યું કોણ છે પ્રશાંત કિશોર, તો જવાબ આપ્યો હું તેમને ઓળખું છું!
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીના એક નિવેદને વિવાદ જગાવી દીધો છે. પુરીએ પૂછ્યું કે, પ્રશાંત કિશોર કોણ છે. જેના પર જવાબ આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે, પુરીજીએ એકદમ સાચુ કહ્યું કે, તેઓ મને નથી ઓળખતા તો પછી મને ન ઓળખવા જોઈએ. Web Stories View more SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો […]
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીના એક નિવેદને વિવાદ જગાવી દીધો છે. પુરીએ પૂછ્યું કે, પ્રશાંત કિશોર કોણ છે. જેના પર જવાબ આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે, પુરીજીએ એકદમ સાચુ કહ્યું કે, તેઓ મને નથી ઓળખતા તો પછી મને ન ઓળખવા જોઈએ.
આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર કર્યા શાબ્દીક પ્રહાર
PKએ કહ્યું કે, હરદીપ પુરીજી દેશના બહુ મોટા નેતા છે. ભારત સરકારના મંત્રી છે. અને તેના માટે મારા જેવા સામાન્ય વ્યક્તિની ઓળખ કરવી સંભવ નથી. અને એકલા દિલ્હીમાં આશરે 50 લાખ જેટલા યુપી-બિહારના મારા જેવા લોકો વસવાટ કરે છે. અને મહેનત કરે છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, યુપી-બિહારના લોકો પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરે છે. અને તેવામાં આટલા લોકોમાં હરદીપ જેવા મોટા નેતા કોઈને વ્યક્તિગત રીતે જાણવાની કોશિશ કરશે તો, તેમની ગરીમા અને પદની વિરુદ્ધ પણ હશે. પરંતુ હું તેમને ઓળખું છું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો