Manisha Vakil Profile : CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન પામેલ મનીષા વકીલનો જન્મ 25 માર્ચ 1975ના રોજ વડોદરામાં જન્મ થયો હતો. તેમણે M.A., B.Ed (અંગ્રેજી સાહિત્ય)નું શિક્ષણ (Education) મેળવ્યુ છે.ઉપરાંત તેણે વડોદરાની બ્રાઇટ ડે સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે પણ ફરજ બજાવી છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં શહેર વાડીની બેઠક પર તેઓ જીત્યા હતા.ઉપરાંત ધારાસભ્ય તરીકે મનીષા વકીલની સતત બીજી ટર્મ હાલ શરૂ છે.
ભાજપના સંનિષ્ઠ મહિલા કાર્યકર્તાઓની યાદીમાં મનીષા વકીલનો (Manisha Vakil) સમાવેશ થાય છે. વડોદરા અને મધ્ય ગુજરાતમાં પ્રતિનિધિત્વ આપવા તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યુ છે.
જાણો મનીષા વકીલની સંપતિ વિશે
નવા મંત્રીમંડળમાં (New Cabinet) સ્થાન પામેલા મનીષા વકીલ 14 લાખથી વધુની સંપતિ ધરાવે છે, જેમાં પોતાના નામે 793633 અને તેના પતિના નામે 653682 જેટલી સંપતિ ધરાવે છે.
મ્યુઅલ ફંડ અને અન્ય શેર ડિબેન્ચરમાં કરેલા રોકાણો
મનીષા વકીલે મ્યુઅલ ફંડ અને અન્ય શેર ડિબેન્ચરમાં (Debenture) કોઈ રોકાણ કરેલુ નથી
નેશનલ સેવિંગ અને પોસ્ટલ સેવિંગમાં રોકાણ
તેઓ નેશનલ સેવિંગ અને પોસ્ટલ સેવિંગમાં (Postal Saving) કુલ 16,116નુ રોકાણ ધરાવે છે.
સોના- ઝવેરાતમાં કેટલુ કર્યુ છે રોકાણ ?
તેમણે કુલ 2,52000 નું સોના- ઝવેરાતમાં રોકાણ કરેલુ છે.
વાહનો અંગેની માહિતી
તેઓ બે મોટર સાઈકલ ધરાવે છે.
શું કૃષિ વિષયક જમીન ઘરાવે છે ?
તેઓ કોઈપણ પ્રકારની કૃષિ વિષયક જમીન (Farming Land) ઘરાવતા નથી.
કુલ જવાબદારી (દેવુ)
તેમણે નાણાકીય સંસ્થા પાસેથી 22 લાખની લોન (Loan) લીધેલી છે.
ખાસ નોંધ : તમામ માહિતી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાંથી લેવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad : નવનિર્મિત 6 પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
આ પણ વાંચો: Kiritsinh Rana Profile : જાણો કિરીટસિંહ રાણાની સંપતિ વિશે, શું મંત્રી કૃષિવિષયક જમીન ધરાવે છે ?
Published On - 3:17 pm, Thu, 16 September 21