ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કલમ 370ને લઈને પોતાનો જવાબ આપતા ફરીથી ધારદાર દલીલો કરી હતી. આ વખતે અમિત શાહે વિવિધ નેતાઓએ કરેલાં સવાલોના જવાબ પણ આપ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમિત શાહે ધારદાર સવાલો કરીને કહ્યું કે અલ્પ સંખ્યક લોકો માટે આયોગ શા માટે બનાવવામાં નથી આવ્યું? જમ્મુ કાશ્મીરમાં બાળકોને પણ અધિકાર મળ્યો નથી. શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવતી નથી. આ બધું થઈ શક્યું નથી કારણ કે ત્યાં કલમ 370 લાગુ છે. અમિત શાહે કહ્યું કે કલમ 370એ મહિલા વિરોધી છે, દલિત વિરોધી છે, આદિવાસી વિરોધી છે, સ્વાસ્થ્ય લાભોથી દૂર રાખનારું છે, આતંકવાદને વધારે છે.
અમિત શાહે બાળ લગ્નના મુદ્દા પર પણ નિશાન તાકીને કહ્યું કે દેશભરમાં બાળ લગ્નને કાયદો લાગુ થઈ ગયો છે પણ કશ્મીરમાં હજુપણ લગ્નને લઈને ઉંમર નક્કી નથી. કાશ્મીરમાં બાળ લગ્નને લઈને કાયદો લાગુ નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:27 pm, Tue, 6 August 19