AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિકે ફરી આંદોલન કરવાની વાત કરી છે પણ લોકો સાથ આપશે તેવી પુરેપુરી ખાતરી તેને પણ નથી

ગત વિધનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના પગલે ભાજપ માંડ માંડ સરકાર બનાવી શકી હતી અને કોંગ્રેસને અણધાર્યો ફાયદો થયો હતો, હવે ફરી ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી આંદોલનને યાદ કરવામાં આવ્યું છે

હાર્દિકે ફરી આંદોલન કરવાની વાત કરી છે પણ લોકો સાથ આપશે તેવી પુરેપુરી ખાતરી તેને પણ નથી
હાર્દિકે ફરી આંદોલન કરવાની વાત કરી છે પણ લોકો સાથ આપશે તેવી પુરેપુરી ખાતરી તેને પણ નથી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:39 PM
Share

હાર્દિક પટેલ (Hardik patel) સરકારને ફરીથી આંદોલનની ચીમકી આપી દીધી છે. તે કહી રહ્યો છે કે તે કોંગ્રેસ (Congress) ના નેતા તરીકે નહીં પણ સમાજિક કાર્યકર તરીકે આંદોલન કરવાનો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જેવડું મોટું સ્થાન ધરાવતો હોવા થતાં તેણે કોંગ્રેસને બાજુએ રાખીને આંદોલન કરવાનું કહેતાં રાજકીય વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ગત વિધનસભા ચૂંટણી (Assembly elections) માં પાટીદાર અનામત આંદોલનની ખુબ જ અસર જોવા મળી હતી અને તેના પગલે ભાજપ માંડ માંડ સરકાર બનાવી શકી હતી અને કોંગ્રેસને અણધાર્યો ફાયદો થયો હતો. હવે ફરી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી આંદોલનને યાદ કરવામાં આવ્યું છે.

હાર્દિક પટેલે આજે આપેલા ઇન્ટર્વ્યુમાં કબુલ્યું હતું કે તે સમાજના નેતા તરીકે આંદોલન કરવાનો છે. જોકે તે સામાજિક નેતાની વાત કરી રહ્યો છે પણ વાસ્તવમાં તે કોંગ્રેસનો નેતા છે તેથી તેને આ વખતે પહેલાં જેવો લોકોનો સહકાર મળશે કે કેમ તે અંગે તે પોતે પણ ખોંખારીને કશું કહી શકતો નથી.

હાર્દિકને પુછવામાં આવ્યું કે અત્યારે જ કેમ આંદોલન કરવાનું સુજ્યું? ત્યારે હાર્દિકે કહ્યું કે અમે બે વર્ષથી બોલીએ છીએ. મેં 15 દિવસના ઉપવાસ કર્યા છે. મને આશા હતી કે સમાજના આગેવાનો કોશિશ કરી રહ્યા છે, મને એમ હતું કે સરકાર કંઈક કરશે પણ નથી કર્યું તેથી બોલું છું.

હાર્દિક પટેલને પુછ્યું કે તમે કોંગ્રેસના જાહેર કાર્યક્રમોમાં કેમ દેખાતા નથી? ત્યારે તેમણે કહ્યું કે હાર્દિક પટેલ બીજા રાજ્યમાં હોય ત્યારે જાહેરમાં જોવા નથી મળતો, બાકી હું હોઉં છું. થોડા દિવસ પહેલાં રાજકોટમાં કાર્યક્રમમાં હતો જ. મને ઉત્તરપ્રદેશ અને પંજાબની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તેથી હુ ત્યાં હોઉ તો અહીં કઈ રીતે આવું. હું ઉડીને તો ન આવી શકું.

હાર્દિકને પુછ્યું કે તમે કોંગ્રેસના નેતા તરીકે આંદોલન કરશે કે સામાજિક નેતા તરીકે? ત્યારે હાર્દિક પટેલ વારંવાર આ સવાલને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે અંતે સ્વીકાર્યું હતું કે હું રાજકીય નેતા છું પણ સમાજનું આંદોલન સામાજિક રીતે થશે.

આ પણ વાંચોઃ Ahmedabad: હાર્દિક પટેલે ફરી ઘસાઈ ગયેલી ટેપ વગાડીઃ પાટીદારો સામેના કેસ પાછા નહીં ખેચાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચોઃ હાર્દિકે સ્વીકાર્યું કે તે કોંગ્રેસના નેતા તરીકે નહીં પણ સામાજિક નેતા તરીકે આંદોલન કરશે

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">