AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: હાર્દિક પટેલે ફરી ઘસાઈ ગયેલી ટેપ વગાડીઃ પાટીદારો સામેના કેસ પાછા નહીં ખેચાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

હાર્દિકે કહ્યું કે યુવાનોને ન્યાય અપાવવા કોંગ્રેસમાંથી રાજીનામુ આપવું પડશે તો રાજીનામું પણ આપી દઈશ, પણ યુવાનો માટે લડત ચલાવીશ, તેણે સરકારમાં રહેલા સમાજના અગ્રણીઓને કહ્યું કે જો સરકાર તેમનું ન સાંભળે તો તેણે રાજીનામા આપી દેવાં જોઈએ

Ahmedabad: હાર્દિક પટેલે ફરી ઘસાઈ ગયેલી ટેપ વગાડીઃ પાટીદારો સામેના કેસ પાછા નહીં ખેચાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
આજે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 1:41 PM
Share

ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસ (Congress) ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) ફરી પાટીદાર આંદોલન વખતે યુવાનો પર થયેલા કેસ પાછા ખેચવાની વાત કરી છે. આજે હાર્દિક પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો (Patidar) સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે.

અનામત આંદોલનમાં કેસ પાછા ખેંચવામાં આનંદીબેન, વિજયભાઈ અને ભુપેન્દ્રભાઈની સરકાર નિષ્ક્રિય હોવાના આક્ષેપ તેણે કર્યા છે. તેણે કહ્યું કે આનંદીબેનના સમયમાં 146 જેટલા કેસ પરત લેવાયા હતા, પણ અમારી માગણી છે કે તમામ કેસ પાછા ખેચવામાં આવે. તેણે એમ પણ કહ્યું કે કેસ પરત લેવા માટે જરૂર પડ્યે ફરી આંદોલન કરીશું.

હાર્દિકે કહ્યું કે સરકાર સમાજને ગુમરાહ કરી રહી છે. અમે દરેક વિસ્તારમાં જઈને પાટીદાર યુવાનોને મળશું. દરેક વિસ્તારના ધારાસભ્યોને મળીને સરકારમાં રજુઆત કરવા જણાવીશું અને જો ધારાસભ્ય નહીં મળે તો તેમની સામે ધરણા પણ કરશું. અમે 23 માર્ચ બાદ મોટી જનસભાઓ યોજીશું.

હાર્દિકે ત્યાં સુધી કહ્યું કે યુવાનોને ન્યાય અપાવવા કોંગ્રેસમાંથી રાજીનામુ આપવું પડશે તો રાજીનામું પણ આપી દઈશ, પણ યુવાનો માટે લડત ચલાવીશ. તેણે સરકારમાં રહેલા સમાજના અગ્રણીઓને પણ સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે બાબુ જમનાદાસ સમાજના પ્રમુખ છે તો તે પણ સરકારને રજુઆત કરે. તેમણે સમાજના આગેવાનોને કહ્યુ કે જો સરકાર તેમનું ન સાંભળે તો તેણે રાજીનામા આપી દેવાં જોઈએ.

જયરાજસિંહ મામલે હાર્દિકે કહ્યું કે કોંગ્રેસે જયરાજસિંહને ઘણુ આપ્યું છે, જયરાજસિંહ પોતાના સ્વાર્થ માટે જઈ રહ્યા છે. જયરાજ સિંહ કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ વિરુદ્ધ બહુ બોલ્યા છે. જયરાજસિંહને કહીશ કે હવે સરકારને રોજગારી, શિક્ષણ વિશે જાણ કરે. તેણે એમ પણ કહ્યું તે તેણે સત્તાના ખોળામાં ના બેસવું જોઈએ, કારણ કે એનાથી તમે તાનાશાહી અને અપરાધીઓને મજબૂત બનાવો છો.

આ પણ વાંચોઃ બે વર્ષ બાદ આજથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ વિરૂદ્ધ આજે ચાર્જશીટ રજૂ કરાશે, ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરતનો આ પ્રથમ કિસ્સો

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">