આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ FIR, કોરોનાને લઈને આવી અફવા ફેલાવવાના આરોપો

કુરનૂલ શહેરના એમ સુબ્બૈયાએ નાયડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેમણે કુરનૂલના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો અને કોરોનાને લઈને ફેક ન્યૂઝ ફેલાવી હતી.

આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ FIR, કોરોનાને લઈને આવી અફવા ફેલાવવાના આરોપો
N Chandrababu Naidu
Follow Us:
| Updated on: May 08, 2021 | 10:29 AM

ભારત કોરોનાની બીજી ઘાતક લહેર સામે યુદ્ધ લડી રહ્યું છે. દરમિયાન તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના વડા ચંદ્રબાબુ નાયડુ સામે N440K સ્ટ્રેઈનને લઈને લોકોમાં ગભરાટ ફેલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. આંધ્રપ્રદેશના કુરનૂલ શહેરના પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 188 અને 505 (1) (2) (2) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 54 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કુરનૂલ શહેરના એમ સુબ્બૈયાએ નાયડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેમણે કુરનૂલના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો કે N440K કોરોના વાયરસ હજી પણ પ્રચલિત છે અને અન્ય સ્ટ્રેઈન કરતાં નોંધપાત્ર રીતે જીવલેણ છે.

આંધ્રપ્રદેશના કુરનૂલમાં પરિવહન અને માહિતી અને જનસંપર્ક મંત્રી પર્ણી વેંકટરામૈયા (પર્ણી રાની) એ N440K વેરિએન્ટ અંગે પૂર્વ મુખ્યમંત્રીના દાવાને નકારી કાઢ્યો છે. તેમણે ચંદ્રાબાબુ નાયડુને કોરોના વાયરસ કરતા વધુ જોખમી ગણાવ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગુરુવારે એક પત્રકાર પરિષદને સંબોધતા પ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકાર તબીબી સેવાઓ તેના માધ્યમોથી આગળ વધારવા માટે સતત કામ કરી રહી છે. તે જ સમયે ચંદ્રબાબુ નાયડુ સરકાર પર ખોટા આક્ષેપો કરી અને લોકોને ડરાવી રાજ્યની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કરી અફવાઓ ફેલાવી રહ્યા છે.

તેમણે કહ્યું “આંધ્રપ્રદેશમાં N440K વાયરસના ફેલાવાની કોઈ પુષ્ટિ થઈ નથી. વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ પણ પુષ્ટિ કરી છે કે B.1.617 સિવાય દેશમાં કોઈ નવા પ્રકારો નથી. ચંદ્રબાબુ નાયડુ સસ્તી રાજનીતિ કરીને આ સ્થિતિનો લાભ લેવા પ્રયાસ કરી રહ્યા છે. ”

જાહેર છે કે આ બાદ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના વડા ચંદ્રબાબુ નાયડુ સામે N440K સ્ટ્રેઈનને લઈને લોકોમાં ગભરાટ ફેલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે

આ પણ વાંચો: નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">