AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે

આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya) યુદ્ધ જહાજમાં આગ લાગી છે. સમય જતાં આ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ સેલર્સના રૂમમાં લાગી હતી.

યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે
File Image
| Updated on: May 08, 2021 | 10:12 AM
Share

આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya) યુદ્ધ જહાજમાં આગ લાગી છે. સમય જતાં આ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ સેલર્સના રૂમમાં લાગી હતી. આગની ઘટના બાદ નેવીએ તપાસના આદેશ આપ્યા છે. જે સમયે યુદ્ધ જહાજને આગ લાગી હતી તે સમયે આઈએનએસ વિક્રમાદિત્ય કર્ણાટકના કરવાર હાર્વર પાસે ઉભું.

આગ લાગ્યા બાદ થોડા સમયમાં તેને કાબુમાં લેવામાં આવી હતી. માહિતી અનુસાર મોટું નુકશાન નથી થયું તેવા સમાચાર આવ્યા હતા, તેમજ આ યુદ્ધ જહાજના તમામ સભ્યો સલામત હોવાના અહેવાલ છે.

યુદ્ધ જહાજ ઉપર લાગેલી આગ વિશે જહાજમાં ફરજ પર રહેલા અધિકારીઓએ માહિતી આપી હતી. ફરજ દરમિયાન એક સ્ટાફે ધુમાડો બહાર નીકળતો જોવા મળ્યો હતો, જે પછી તરત જ અધિકારીઓને આની જાણ કરવામાં આવી હતી. જે ભાગમાં આગ લાગી હતી તે ભાગમાં ખલાસીઓ (સૈનિકો) ના આવાસ છે.

આગ લાગ્યા બાદ નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું છે કે “આગ કાબૂમાં લેવામાં આવી છે અને જહાજમાં સવાર તમામ કર્મચારી સુરક્ષિત છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ફરજ પરના જવાનોએ યુદ્ધ જહાજમાંથી ધુમાડો નીકળતો જોયો હતો.”

નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, “જહાજમાં આગ લાગ્યા બાદ તેના પર કાબુ મેળવવા માટે હાજર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ઘટના બાદ વહાણમાં સવાર તમામ કર્મચારીઓની ગણતરી કરવામાં આવી હતી અને કોઈ મોટું નુકસાન થયું નથી.”

આ પણ વાંચો: નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?

આ પણ વાંચો: Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">