Gujarati NewsPoliticsEc sets up panel of officers to examine pm modi s address to nation in light of model code which is in force
વડાપ્રધાન મોદીએ ‘મિશન શક્તિ’ના સંબોધનમાં આચાર-સંહિતાનો ભંગ કર્યો કે નહીં તેની તપાસ થશે
ચૂંટણીના માહોલમાં વડાપ્રધાને ‘મિશન શક્તિ’ને લઈને આખા દેશને સંબોધન કર્યું હતું. વિપક્ષ સાથે અમુક પક્ષોએ આ વાતથી નારાજગી દર્શાવી અને ચૂંટણી પંચ પાસે તપાસની માગણી કરી છે. An important message to the nation. Watch. https://t.co/0LEOATgOOQ — Narendra Modi (@narendramodi) March 27, 2019 Web Stories View more ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી જન્નત ઝબેરના પરિવાર વિશે જાણો […]
ચૂંટણીના માહોલમાં વડાપ્રધાને ‘મિશન શક્તિ’ને લઈને આખા દેશને સંબોધન કર્યું હતું. વિપક્ષ સાથે અમુક પક્ષોએ આ વાતથી નારાજગી દર્શાવી અને ચૂંટણી પંચ પાસે તપાસની માગણી કરી છે.
વડાપ્રધાને પહેલાં તો ટ્વિટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા કે તેઓ કંઈક મોટું કરવા જઈ રહ્યાં છે. બાદમાં ‘મિશન શક્તિ’માં ભારતે લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો હતો. આ વાતને લઈને વડાપ્રધાન મોદીએ ટીવી ચેનલો પર દેશને સંબોધન પણ કર્યું હતું.
સીપીએમ તથા મમતા બેનર્જ પણ આ સંબોધનને લઈને સવાલો ઉઠાવી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે જ્યારે ચૂંટણીની જાહેરાતો થઈ ગયી છે. આખા દેશમાં આચાર-સંહિતા લાગેલી છે આ સમયે વડાપ્રધાને દેશને સંબોધીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
ચૂંટણી પંચને મળેલી ફરિયાદને લઈને વિભાગ હવે 5 અધિકારીઓની પેનલ બનાવશે અને વીડિયો જોઈને નિર્ણય કરશે કે મોદીના સંબોધનમાં આચાર-સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે નહીં. સુત્રોના હવાલેથી એવી ખબર મળી રહી છે કે ચૂંટણી અધિકારીઓ માની રહ્યાં છે કે વડાપ્રધાને આ રીતે સંબોધન કરીને કોઈ જ પ્રકારની આચાર-સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.