કોંગ્રેસમાં અસંતુષ્ટોની નારાજગી ઓછી થઇ, રાહુલ ગાંધી ફરી અધ્યક્ષપદ સંભાળશે તેવા સંકેત મળ્યા
કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓની નારાજગી ઓછી થતા મોવડીમંડળે રાહત અનુભવી. રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળવાના સંકેત આપ્યા છે. રાહુલ ગાંધીએ ટોચના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિભાવવા તૈયાર છું. રાહુલ ગાંધીએ કહ્યું કે વરિષ્ઠ નેતાઓનું સમ્માન કરીએ છીએ. પરંતુ પક્ષના યુવા નેતાઓને સંગઠનમાં સ્થાન આપવા મળવું જોઈએ. તો […]
કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓની નારાજગી ઓછી થતા મોવડીમંડળે રાહત અનુભવી. રાહુલ ગાંધીએ ફરી એકવાર કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળવાના સંકેત આપ્યા છે. રાહુલ ગાંધીએ ટોચના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિભાવવા તૈયાર છું. રાહુલ ગાંધીએ કહ્યું કે વરિષ્ઠ નેતાઓનું સમ્માન કરીએ છીએ. પરંતુ પક્ષના યુવા નેતાઓને સંગઠનમાં સ્થાન આપવા મળવું જોઈએ. તો મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસને એક પરિવાર ગણાવ્યો. આ સાથે ટકોર કરી કે પરિવારમાં વાતચીત થાય, કોઈ પત્ર લખતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પત્ર લખનારા નેતાઓની બેઠકમાં અનેક મુદ્દે મતભેદોનો અંત આવ્યો.