મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકાર સંકટમાં આવી ગયી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાવત કરી દીધી છે અને તેમની સાથે અન્ય 20 ધારાસભ્યોએે પણ રાજીનામા આપી દીધા છે. ભાજપ સિંધિયાની મુલાકાત અને કોંગ્રેસના રાજીનામા બાદ ચર્ચા કરી રહી છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ અને સિંધિયા પણ હાજરી આપશે. આ બાદ જ અંતિમ નિર્ણય લઈ શકાશે.
આ પણ વાંચો : VIDEO: ખાસડા યુદ્ધથી હોળીની ઉજવણી! હોળીના પર્વે અનોખું ખાસડા યુદ્ધ
જ્યોતિરાદિત્ય સિંધિયાનો સતત કમલનાથ સરકાર સાથે વિરોધ રહ્યો છે. આ સિવાય ઘણા એવા કિસ્સા છે જેમાં સિંધિયાએ પાર્ટીના સ્ટેન્ડથી વિરુદ્ધ જઈને અન્ય જ મતનું સમર્થન કર્યું હોય. હાલ તો મધ્યપ્રદેશમાં રાજનીતિક ડ્રામા ચાલી રહ્યો છે. જો સિંધિયાને ફરીથી મનાવવામાં કોંગ્રેસ સફળ રહે તો જ કોંગ્રેસની સરકાર બચી શકે. આ સિવાય કોઈ રસ્તો હવે કોંગ્રેસની સરકાર પાસે નથી.
સિંધિયાએ આપ્યો મીડિયાને જવાબ
સિંધિયાએ મીડિયાના રાજનીતિક સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આ સિવાય મીડિયાકર્મીના સવાલ પર ફક્ત “હેપી હોલી” એવો પ્રત્યુત્તર આપ્યો હતો. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે બુધવારે સિંધિયા ભાજપમાં જોડાય શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 1:39 pm, Tue, 10 March 20