રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે તહેવારોની સિઝન પણ ચાલી રહી છે. ત્યારે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખ્યો છે. ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે સીએમને પત્ર લખીને આગામી ઇદ-એ-મિલાદના તહેવારમાં જૂલુસ કાઢવાની પરવાનગી છે. ધારાસભ્ય ખેડાવાલા અને શેખે સરકારની માર્ગદર્શિકાને અનુરુપ જૂલુસ કાઢવાની પરવાનગી મળે તે માટે પત્ર લખ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો