બિહારના લોકો કોઇ ભ્રમમાં રહેતા નથી, બિહારમાં ફરી એનડીએની સરકાર બનશે : PM

બિહારના સાસારામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. અહીં, વડાપ્રધાને ભૂતકાળમાં બિહારના શાસન અને અત્યારના શાસનની તુલના કરી હતી. સાથે જ બિહારની પ્રજાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, બિહારની પ્રજા એકદમ સ્પષ્ટ અભિગમ ધરાવે છે. અને, બિહારની પ્રજા ખોટા ભ્રમમાં રહેતી નથી. સાથે જ ઉમેર્યું કે ભ્રમ ફેલાવનાર લોકોથી મતદારોએ બચીને રહેવું જોઇએ. ભ્રમ […]

બિહારના લોકો કોઇ ભ્રમમાં રહેતા નથી, બિહારમાં ફરી એનડીએની સરકાર બનશે : PM
Follow Us:
| Updated on: Oct 23, 2020 | 12:53 PM

બિહારના સાસારામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. અહીં, વડાપ્રધાને ભૂતકાળમાં બિહારના શાસન અને અત્યારના શાસનની તુલના કરી હતી. સાથે જ બિહારની પ્રજાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, બિહારની પ્રજા એકદમ સ્પષ્ટ અભિગમ ધરાવે છે. અને, બિહારની પ્રજા ખોટા ભ્રમમાં રહેતી નથી. સાથે જ ઉમેર્યું કે ભ્રમ ફેલાવનાર લોકોથી મતદારોએ બચીને રહેવું જોઇએ. ભ્રમ ફેલાવનાર લોકોને મતદારોએ જવાબ આપવાનો છે. તેમણે ચૂંટણી સર્વેને ટાંકીને બિહારમાં ફરી એનડીએની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

વડાપ્રધાને ચૂંટણીસભામાં ભૂતકાળમાં બિહારની શાસન વ્યવસ્થાને યાદ કરી હતી. અને, ભૂતકાળમાં બિહાર કેટલી ખરાબ સ્થિતિમાં હતું તેને યાદ કર્યું હતું. સાથે જ વર્તમાન બિહારની કેવી સ્થિતિ છે તેને પણ લોકો સમક્ષ ઉજાગર કર્યું હતું. મોદીએ કહ્યું કે પહેલા બિહારના લોકો રાત પડતા જ ઘરમાં પુરાઇ જતા હતા. કારણ કે, રાજયમાં વિજળી, રસ્તા કે પાણી જેવી કોઇ સુવિધાઓ હતી ન હતી. સાથે જ બિહારમાં અરાજકતાને કારણે લોકોમાં ભય રહેતો હતો. આજે લોકો બિહારમાં સુખ-શાંતિથી રહે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નીતિશકુમારની સરકારમાં બિહારમાં મોટાપ્રમાણમાં વિકાસના કામો થયા છે. આજે રાજયમાં વિજળી, રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ ઉભી થઇ છે. સાથે જ બિહારમાં ગુંડારાજનો અંત આવ્યો છે. જેથી લોકો ભય વગર શાંતિથી રહે છે. જે આજે સમગ્ર દેશની પ્રજા જાણે છે.

પહેલા કેન્દ્રની યુપીએ સરકાર બિહારના વિકાસ કામોમાં રોડા નાંખતી હોવાનો અને કેન્દ્રની યુપીએ સરકાર બિહારને લૂંટવાનું કામ કરતી હોવાનો વડાપ્રધાને આક્ષેપ કર્યો હતો. જયારે એનડીએની સરકારમાં બિહારનો વિકાસ પાંચગણો વધ્યો છે. હજું બિહારે ઘણો વિકાસ કરવાનો બાકી છે.બિહારને મુશ્કેલીમાં નાંખવાવાળાને પ્રજાએ ઓળખી લેવા જોઇએ. નીતિશ સરકારને કેન્દ્રની સરકારે 10 વર્ષ સુધી વિકાસ ન કરવા દીધો. પરંતુ, છેલ્લા 4 વર્ષમાં બિહારનો વિકાસ પાંચગણો વધ્યો છે.

આ સાથે વડાપ્રધાને કાશ્મીરમાં 370ની કલમ હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે વિપક્ષીઓ કલમ હટાવવાનો વિરોધ કરતા હતા. પણ, આજે કાશ્મીરમાં શું પરિસ્થિતિ છે તે દેશની પ્રજા સારી રીતે જાણે છે. વડાપ્રધાને કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કરતા કહ્યું કે દેશનો વિકાસ નહીં અટકે જેને જેની મદદ લઇ લેવી હોય તે લઇ લે.

વડાપ્રધાને પોતાની સભાના સંબોધનમાં સૌ-પ્રથમ બિહારના બે સપૂતોને યાદ કર્યા, સાથે જ બિહારના સ્થાનિક નેતા રામવિલાસ પાસવાન અને રઘુવંશ પ્રસાદને પણ યાદ કર્યા હતા. આ સાથે મોદીએ બિહારની ગૌરવશાળી ધરતીને પ્રણામ કર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું કે બિહારમાં નીતિશકુમારની સરકારે કોરોનાકાળમાં સારુ કામ કર્યું છે. વધુમાં મોદી શું બોલ્યા જુઓ આ વીડિયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">