ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાનું ફરી ઝળક્યું દુ:ખ, ભાજપમાંથી રાજીનામા બાદ પાર્ટીએ કહ્યું મનાવી લઈશું
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું આપ્યાનાં સમાચારથી ભાજપમાં હડકંપ મચી ગયો હતો. મનસુખ વસાવાનાં રાજીનામા પર એક સમયે તો સસ્પેન્સ આવી ગયું કે તેમણે રાજીનામું આપ્યું છે કે નહી. તેમણે જણાવ્યું કે પત્ર લખી પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને રાજીનામું મોકલ્યું છે. પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલો થઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ […]
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ્યું પક્ષમાંથી રાજીનામું આપ્યાનાં સમાચારથી ભાજપમાં હડકંપ મચી ગયો હતો. મનસુખ વસાવાનાં રાજીનામા પર એક સમયે તો સસ્પેન્સ આવી ગયું કે તેમણે રાજીનામું આપ્યું છે કે નહી. તેમણે જણાવ્યું કે પત્ર લખી પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને રાજીનામું મોકલ્યું છે. પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલો થઈ હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. પક્ષને નુકસાન ન પહોંચે તે કારણે પક્ષમાંથી રાજીનામું આપ્યાંનુ કારણ પણ તેમણે દર્શાવ્યું હતું. સાતે જ તેમણે આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાની પત્રમાં વાત કરવામાં આવી હતી. જો કે રાજીનામાનાં ગણતરીનાં સમયમાં જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખુલાસો કરતા જણાવ્યું કે તે સિનિયર સભ્ય છે અને દિલ્હી જઈને રાજીનામું આપશે. આવા સભ્ય અમારી સાથે છે તેનું અમને ગૌરવ છે, અમે સમસ્યાનું નિરાકરણ લાવી દઈશું.