Antilia Case: રવિશંકર પ્રસાદે ઉદ્ધવ સરકાર પર કર્યા આકરા પ્રહાર, રાજ ઠાકરેએ કરી દેશમુખના રાજીનામાંની માંગ
એન્ટિલિયા-સચિન વાઝે કેસમાં રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યા બાદ સરકાર પર આકરા પ્રહાર થઇ રહ્યા છે.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં એન્ટિલીયા કેસમાં ઝડપાયેલા Sachin Wazeનો ઉલ્લેખ હતો. આ પત્રમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આક્ષેપ લગાવ્યો હતો. આ પત્રમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે Sachin Wazeને 100 કરોડ રૂપિયા દર મહિને ક્લેક્ટ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. આ બાદ રાજકારણ ખુબ ગરમાયું હતું. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે અને રાજ ઠાકરેએ ઉદ્ધવ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
આ લૂંટની મહા-અઘાડી: રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે કહ્યું કે આ લૂંટની મહા-અઘાડી છે. આ માત્ર એક મંત્રીનો કેસ નથી, પણ ઉદ્ધવ સરકાર પર એક મોટો સવાલ છે, જેણે નૈતિક સત્તાને ગુમાવી દીધી છે
મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, પોલીસ કમિશનર શંકાસ્પદ
રવિશંકર પ્રસાદે કહ્યું 100 કરોડની ઉઘરાણી કરાવી એ એક્સ્ટ્રોશન છે. શરદ પવારનું મૌન ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ઉદ્ધવ ઠાકરેની શાંતિ શું કહે છે? ગૃહની અંદર અને બહાર તેમનો સચિનનો બચાવ ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. સચિનની સ્થિતિ સહાયક પોલીસ ઇન્સ્પેકટરની છે. આ વિષય ખૂબ જ ગંભીર છે, તેની તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, પોલીસ કમિશનરની ભૂમિકા હોઈ શકે છે. ગૃહ પ્રધાને સચિન વાઝેને 100 કરોડની ઉઘરાણી કરવાનો આદેશ આપ્યો. તેમજ એની સાથે બીજા કેટલા ગંદા કાર્યો કરાવવામાં આવ્યા છે?
શરદ પવાર વરિષ્ઠ નેતા, તેમની ભૂમિકા પર સવાલો ઉભા થઈ રહ્યા છે- રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે કહ્યું કે શરદ પવાર વરિષ્ઠ નેતા છે, પરંતુ તેમની ભૂમિકા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સચિનને વર્ષોથી સસ્પેન્ડ કરાયો હતો. તેની નિમણૂક કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. ઘરની અંદર અને બહાર સચિન વાઝેની ભૂમિકાનો બચાવ કરવામાં આવ્યો હતો. વાઝે 2008 થી શિવસેનાના સભ્ય છે. આમાં શરદ પવારની શું ભૂમિકા છે? પરમબીરે કહ્યું છે કે હું તેમને બ્રીફ કરતો હતો. તેઓ મોટા નેતા છે પણ સરકારનો ભાગ નથી.
આ ઉપરાંત સમગ્ર ઘટના પર રાજ ઠાકરેએ પણ સરકારને ઘેરી લીધી હતી. રાજ ઠાકરેએ કહ્યું કે લોકો કહે છે કે પોલીસ ભ્રષ્ટ છે, પરંતુ એ પણ જોવું જોઈએ કે તેમને આ કામ કરવાનું કોણે કહ્યું. રાજ ઠાકરેએ આ સાથે અનિલ દેશમુખના રાજીનામાંની માંગ કરી હતી. રાજ ઠાકરેએ કહ્યું કે ગૃહ પ્રધાને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. ગૃહ પ્રધાન પરના આક્ષેપો ખૂબ ગંભીર છે. પરમબીરની બદલી કેમ થઇ? જો તેણે ભૂલ કરી છે, તો તેની તપાસ કેમ ના થઇ અને બદલી કેમ કરવામાં આવી?
એન્ટિલીયાની બહાર ગાડી કોણે રાખી?
રાજ ઠાકરેએ એ પણ કહ્યું કે શું વાઝે કોઈની પરવાનગી લીધા વિના અંબાણીના ઘરની બહાર જિલેટીન રાખશે? વાઝે કોઈના આદેશ વિના આ કરી શકશે નહીં. ધમકી આપવા વાળું શું આવી મીઠી ભાષામાં વાત કરશે? રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે તપાસ કરવી જોઈએ કે કારને એન્ટિલિયાની બહાર કોણે રાખી હતી.