દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર, જાણો અમિત શાહે શું કહ્યું?
દેશમાં લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવનારી પાર્ટી ભાજપને દિલ્હીમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ અંગે અમિત શાહે સ્વીકાર્યું છે કે ભાજપના નેતાઓએ જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર શાબ્દિક હુમલાઓ કર્યા હતા તે યોગ્ય નહોતા. તેઓએ કહ્યું કે પાર્ટીએ પોતાને આવા નિવેદનોથી અલગ પણ રાખી છે. નેતાઓએ આવા નિવેદન ના આપવા જોઈતા હતા. Facebook […]
દેશમાં લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવનારી પાર્ટી ભાજપને દિલ્હીમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ અંગે અમિત શાહે સ્વીકાર્યું છે કે ભાજપના નેતાઓએ જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર શાબ્દિક હુમલાઓ કર્યા હતા તે યોગ્ય નહોતા. તેઓએ કહ્યું કે પાર્ટીએ પોતાને આવા નિવેદનોથી અલગ પણ રાખી છે. નેતાઓએ આવા નિવેદન ના આપવા જોઈતા હતા.
દિલ્હીના ચૂંટણી પ્રચારમાં એક તારણ એવું સામે આવી રહ્યું છે કે ભાજપની હાર નેગેટિવ પ્રચારના કારણે થઈ છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રેલીમાં ગોલી મારો જેવા નારાઓ લગાવ્યા હતા. આ ઉપરાંત ભાજપના નેતાઓએ ભારત-પાકિસ્તાન જેવા શબ્દોનો ઉલ્લેખ પોતાના ચૂંટણી પ્રચારમાં કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઉપરાંત દિલ્હીમાં ભાજપે જનાદેશનો સ્વીકાર કરી લીધો છે અને કહ્યું કે ભાજપ જીત કે હાર માટે નથી લડી રહી. ભાજ પાર્ટી પોતાની વિચારધારા ફેલાવવામાં માને છે. આમ અમિત શાહે કહ્યું કે ભાજપ પાર્ટી હાર કે જીત માટે ચૂંટણી લડતી નથી. અમે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ફરીથી કેજરીવાલની સરકાર આવી છે. દિલ્હીમાં કોંગ્રેસનો સફાયો તો આમ આદમી પાર્ટીને 62 સીટ મળી છે. જ્યારે ભાજપને માત્ર 8 સીટ જ મળી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]