Gujarati NewsPoliticsAmethi smriti irani warns wayanad says rahul gandhi did no work for amethi lok sabha elections 2019
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ગણાવ્યા ‘ગુમ સાંસદ’ અને કહ્યું કે, આ અમેઠીનું અપમાન છે
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેથી બધી જ પાર્ટીઓ પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે બધી જ પાર્ટીઓ એકબીજા વિરૂધ્ધ નિવેદનો આપે છે. એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનડ સીટ માટે નામાંકન કરશે. ત્યારે તેમની બીજી સીટ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની હુમલો કરતા કહ્યું કે વાયનાડની જનતાને જો રાહુલ ગાંધીની […]
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેથી બધી જ પાર્ટીઓ પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે બધી જ પાર્ટીઓ એકબીજા વિરૂધ્ધ નિવેદનો આપે છે.
એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનડ સીટ માટે નામાંકન કરશે. ત્યારે તેમની બીજી સીટ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની હુમલો કરતા કહ્યું કે વાયનાડની જનતાને જો રાહુલ ગાંધીની ક્ષમતા પર કોઈ પ્રશ્ન હોય તો તેમને એક વાર અમેઠી આવીને જોવુ જોઈએ.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી અમેઠીના સાંસદ એક એવા વ્યકિત છે, જે અમેઠીમાં આવતા જ નથી. તેમને જવાબ આપવો પડશે કે આ દેશને કેમ લુંટવામાં આવ્યો? હું વાયનાડના લોકોને ચેતવુ છે. તેમને એક વાર અમેઠી જઈને જોવું જોઈએ.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે અમેઠીને 15 વર્ષ સુધી ગુમ થયેલા સાંસદને સહન કરવો પડયો. બધી જ વ્યવસ્થાઓને અલગ કરી દીધી. તે અમેઠીને સશક્ત કરવાની જવાબદારી ભાજપે મને આપી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 15 વર્ષ પછી રાહુલગાંધી બીજી કોઈ જગ્યાએથી નામાંકન કરી રહ્યા છે. તે અમેઠીનું અપમાન છે. અમેઠીની જનતા તેને સહન કરશે નહિ.
ભાજપ રાહુલગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય પર સતત હુમલો કરે છે. ભાજપનું કહેવુ છે કે રાહુલ ગાંધી ડરથી વાયનાડ ભાગી ગયા છે.