અમદાવાદમાં વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામા બાદ વિપક્ષ નેતાના પદને લઇને વિવાદ વકર્યો છે. હવે બાકી રહેલા 45 દિવસના કાર્યકાળ માટે વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નથી. કારણ કે જો આ પદ પર કોઇની નિયુક્તિ થાય તો તેને મહત્વનું પદ ગુમાવવું પડે તેવી કોંગીજનોને ભીતિ છે. હાલના સંજોગોમાં તૌફિક ખાન પઠાણે કામચલાઉ કાર્યભાર સંભાળ્યો છે. આ સંજોગોમાં કમળા ચાવડા, જે.ડી.પટેલ કે દેવેન્દ્ર વિસનગરીનું નામ ચર્ચામાં છે. જો આ નેતાઓ વિપક્ષ નેતાનો પદભાર સંભાળે તો આગામી પાંચ વર્ષ માટે મળતો અન્ય હોદ્દો ગુમાવો પડે તેવો ડર છે. ત્યારે આ અંગે હવે શું નિર્ણય આવે છે તેની રાહ જોવી રહી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો