રાજસ્થાનમાં ગેહલોત સરકાર સંકટમાં, હાઈકમાન્ડ એક્શનમાં, લીધો આ મહત્વનો નિર્ણય
રાજસ્થાનમાં ગેહલોત સરકાર સંકટમાં ઘેરાયેલી છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ વચ્ચેના મતભેદ ખુલીને સામે આવી ગયા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ એક્શનમાં આવી ગયા છે. તેમને કોંગ્રેસના 3 નેતાઓને જયપુર મોકલવાનો નિર્ણય લીધો છે. Congress leaders Randeep Surjewala & Ajay Maken have been asked by the party leadership to […]
રાજસ્થાનમાં ગેહલોત સરકાર સંકટમાં ઘેરાયેલી છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ વચ્ચેના મતભેદ ખુલીને સામે આવી ગયા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ એક્શનમાં આવી ગયા છે. તેમને કોંગ્રેસના 3 નેતાઓને જયપુર મોકલવાનો નિર્ણય લીધો છે.
Congress leaders Randeep Surjewala & Ajay Maken have been asked by the party leadership to reach Jaipur. Both the leaders along with Rajasthan party In-charge Avinash Pande will be present in the meeting scheduled at CM Ashok Gehlot's residence today.#RajasthanPoliticalCrisis
— tv9gujarati (@tv9gujarati) July 12, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સોનિયા ગાંધીએ અજય માકન, રણદીપ સુરજેવાલા અને અવિનાશ પાંડેને જયપુર જવા માટે કહ્યું છે. ત્રણે નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યો સાથે વાત કરશે. ત્રણે નેતા આજે રાત્રે જયપુર જવા માટે રવાના થશે.
તમને જણાવી દઈએ કે રાજસ્થાનની ગેહલોત સરકાર સંકટમાં છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટની વચ્ચેના મતભેદ ખુલીને સામે આવી રહ્યા છે. સચિન પાયલટ પાર્ટી હાઈકમાન્ડને મળવા માટે દિલ્હીમાં છે અને પાયલટ જૂથના 12 ધારાસભ્યો પણ દિલ્હીમાં છે. ત્યારે આ તરફ મુખ્યપ્રધાન ગેહલોતે પાર્ટી હાઈકમાન્ડને કહ્યું છે કે સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો