
IPL 2024ની આ સિઝનમાં હાર્દિકની ટીમને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા.

હાર્દિકે સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જળાભિષેક કર્યો હતો.

આ અવસરે સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું.

ગત વર્ષે IPL 2023માં હાર્દિક ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હતાય તેમની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન ઘણુ સારુ રહ્યુ હતુ અને ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. ત્યારે આ વખતે પણ ટીમના સારા પ્રદર્શન માટે હાર્દિક પ્રાર્થના કરતા જોવા મળ્યા છે.

હાર્દિક પંડ્યાએ વિધિવત રીતે મહાપૂજામાં સામેલ થયા હતા અને ધ્વજપૂજન પણ કર્યુ હતુ.

સોમનાથ ટ્રસ્ટ તરફથી હાર્દિક પંડ્યાને સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપીઅભિવાદન કરવામાં આવ્યુ હતુ. - Input Credit- Yogesh Joshi- Somnath