
જો તમારે સૌરાષ્ટ્ર તરફથી મહેસાણા જવું હોય તો જામનગરથી મહેસાણા પહોંચવા માટે તમારે પોરબંદરથી આવતી ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.આ ટ્રેન ગુરુવારે અને શુક્રવારે ચાલે છે. પોરબંદરથી 19:35 એ ઉપડે છે અને જામનગર 22:07 એ પહોંચાડે છે ત્યાર પછી રાજકોટ પહોંચવાનો સમય 23:50 નો છે. આ ટ્રેન વિરમગામથી સીધી મહેસાણા 04:30 પહોંચાડે છે.

મહેસાણા સુધી પહોંચીને મોઢેરા સુધી જવું સાવ સરળ છે. મહેસાણાથી મોઢેરા સુધી અંદર જવા માટેનું અંતર 25 KM છે.

તમે પ્રાઈવેટ વાહન કરી શકો છો. તેમજ ત્યાંથી સરકારી બસ અથવા ઓટો રિક્ષામાં પણ જઈ શકાય છે. મોઢેરા પહોંચતા અંદાજે અડધા કલાક જેટલો સમય લાગે છે.
Published On - 12:48 pm, Fri, 16 August 24