
સરકારનું કહેવું છે કે, નવી કર પ્રણાલી હેઠળ, આગામી નાણાકીય વર્ષ 2025-26 માં વાર્ષિક 12 લાખ રૂપિયા કમાતા લોકોને 80,000 રૂપિયાની બચત થશે. જ્યારે, જેમની વાર્ષિક આવક 24 લાખ રૂપિયા કે તેથી વધુ છે, તેઓ આવકવેરામાં રૂપિયા 1.10 લાખ બચાવી શકે છે. નવી જાહેરાતના આધારે, 13 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો હવે તેમની કર જવાબદારી પર 25,000 રૂપિયા બચાવશે.

નાણામંત્રીએ તેમના 2025-26ના બજેટમાં નવા ટેક્સ સ્લેબનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પગારદાર વર્ગ માટે રૂ. 75000 ના પ્રમાણભૂત કપાતને ધ્યાનમાં લેતા, આ મર્યાદા રૂ. 12.75 લાખ હશે. જો આવક 12 લાખ રૂપિયાથી વધુ હોય, તો નવી કર પ્રણાલી હેઠળ ફાઇલ કરવાના ટેક્સ સ્લેબમાં કરાયેલા સુધારા મુજબ વેરો ભરવાનો થશે.
Published On - 10:01 am, Sun, 2 February 25