AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Police Rights : શું ટ્રાફિક પોલીસ કોઈની ધરપકડ કરી શકે ? જાણો શું કહે છે કાયદો

ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું ટ્રાફિક પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ પણ કરી શકે છે અથવા જો તે કોઈ નિયમનું પાલન ન કરે તો તેની પણ ધરપકડ થઈ શકે છે. તો આવો જાણીએ સત્ય શું છે ?

Traffic Police Rights : શું ટ્રાફિક પોલીસ કોઈની ધરપકડ કરી શકે ? જાણો શું કહે છે કાયદો
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 1:14 PM
Share

તમે જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું (Traffic Rules) પાલન કરતું નથી. તો ટ્રાફિક પોલીસ (Traffic Police) તેમને દંડ કરી શકે છે અથવા ઘણા કિસ્સાઓમાં પોલીસ વાહન જપ્ત પણ કરે છે. પરંતુ, લોકો માને છે કે માત્ર ટ્રાફિક પોલીસ જ ચલણ આપી શકે છે અને તેમને કોઈની ધરપકડ કરવાનો અધિકાર નથી. જ્યારે ઘણા લોકો માને છે કે ટ્રાફિક પોલીસ કોઈની ધરપકડ કરી શકે છે. તો આવો જાણીએ સત્ય શું છે ?

આ સિવાય અમે તમને જણાવીએ છીએ કે ધરપકડ અંગે ટ્રાફિક પોલીસના અધિકારો શું છે. જો પોલીસ પાસે ધરપકડ કરવાની સત્તા હોય તો તે કયા સંજોગોમાં વ્યક્તિની ધરપકડ કરી શકે? તો જાણો વર્દીધારી પોલીસકર્મીને કયા અધિકારો આપવામાં આવ્યા છે.

શું ટ્રાફિક પોલીસ ધરપકડ કરી શકે? મોટર વ્હીકલ એક્ટ મુજબ, પોલીસકર્મી અમુક કલમો હેઠળ ગુના માટે નાગરિકોની ધરપકડ કરી શકે છે. આ સાથે પોલીસને કોઈપણ વોરંટ વગર ધરપકડ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મોટર વ્હીકલ એક્ટમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિએ પોલીસની હાજરીમાં કલમ 184, 185 197 હેઠળ શિક્ષાપાત્ર કૃત્ય કર્યું હોય તો યુનિફોર્મમાં આવેલ પોલીસકર્મી કોઈપણની ધરપકડ કરી શકે છે.

જો કે, જો કોઈની કલમ 185 હેઠળ સજાપાત્ર ગુના માટે ધરપકડ કરવામાં આવી હોય તો તો કલમ 203 અને કલમ 204 માં ઉલ્લેખિત તબીબી તપાસ ધરપકડના બે કલાકની અંદર કરવી જોઈએ નહીં તો આરોપી વ્યક્તિને છોડવો પડશે.

પોલીસ વોરંટ વગર ક્યારે અને ક્યારે ધરપકડ કરી શકે? યુનિફોર્મમાં આવેલ કોઈપણ પોલીસ અધિકારી આ પરિસ્થિતિઓમાં વોરંટ વિના ધરપકડ કરી શકે છે.

1. કોઈપણ વ્યક્તિ કે જેણે આ કાયદાની જોગવાઈઓ હેઠળ પોતાનું નામ અને ઠેકાણું જાહેર કરવાનો ઇનકાર કર્યો છે અથવા પોલીસ માને છે કે તે ખોટો છે, તેની ધરપકડ થઈ શકે છે.

2. કોઈપણ વ્યક્તિ કે જે આ કાયદા હેઠળના ગુનામાં હોય છે અને પોલીસને લાગે છે કે તે ફરાર થઈ જશે અથવા સમન્સની સેવા ટાળશે તો તેની ધરપકડ થઈ શકે છે.

3. ખતરનાક રીતે ડ્રાઇવિંગ (કલમ 184), ડ્રગ્સના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ (કલમ 185), માલિકની સંમતિ અથવા કાયદેસર સત્તા (કલમ 197) વિના ડ્રાઇવિંગ, તેનું નામ અને સરનામું જાહેર કરવાનો ઇનકાર કરવા પર ફરાર થવાની આશંકા પર ધરપકડ કરી શકાય છે.

આ પણ વાંચો : Accident : ભૂતપૂર્વ મિસ કેરળ અને રનર અપ યુવતીનું રોડ અકસ્માતમાં મોત, બાઇક સવારને બચાવવા જતા કાર પલટી

આ પણ વાંચો : શ્વેતા તિવારીની લાડલી પલકથી પ્રભાવિત થયો ભાઈજાન, વીડિયો શેર કરીને લખી નાખ્યુ એવું કે વિશ્વાસ પણ નહીં આવે

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">