AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેમ, કેવી રીતે અને કયા ફાયદા માટે લોકો બને છે નાગા બાવા?

અર્ધકુંભ કે મહાકુંભમાં, હુંકાર ભરીને, શરીર પર ભભૂત લગાવીને નાચતા-ગાતા બાવાઓ તમે જોયા હશે. પરંતુ કુંભ સમાપ્ત થતાં જ આ નાગા બાવા ખબર નહીં કઈ રહસ્યમયી દુનિયામાં જતા રહે છે, જેના વિશે કોઈ જ નથી જાણતું. નાગા બાવાઓ આખરે ક્યાંથી આવે છે અને કુંભ બાદ ક્યાં જાય છે? કેવી હોય છે તેમની જિંદગી અને કેવી […]

કેમ, કેવી રીતે અને કયા ફાયદા માટે લોકો બને છે નાગા બાવા?
| Updated on: Jan 01, 2019 | 10:44 AM
Share

અર્ધકુંભ કે મહાકુંભમાં, હુંકાર ભરીને, શરીર પર ભભૂત લગાવીને નાચતા-ગાતા બાવાઓ તમે જોયા હશે. પરંતુ કુંભ સમાપ્ત થતાં જ આ નાગા બાવા ખબર નહીં કઈ રહસ્યમયી દુનિયામાં જતા રહે છે, જેના વિશે કોઈ જ નથી જાણતું.

નાગા બાવાઓ આખરે ક્યાંથી આવે છે અને કુંભ બાદ ક્યાં જાય છે? કેવી હોય છે તેમની જિંદગી અને કેવી રીતે તેઓ બને છે નાગા સાધુ?

ચાલો, જઈએ નાગા બાવાઓના સંસારમાં, તેમની રહસ્યમયી દુનિયામાં…

કુંભ અને મહાકુંભ દરમિયાન થીજાવી દેતી ઠંડીમાં પણ નાગા બાવા નિર્વસ્ત્ર રહે છે. તો અસહ્ય ગરમીમાં ભભૂત લગાવીને નજરે ચઢે. નાગાઓને ન કોઈ આવતા જોવે છે અને ન જતા. નાગા સાધુઓની જિંદગી ખૂબ કઠિન હોય છે. તેમની તૈયાર થવાની પ્રક્રિયા પણ કેટલાંયે વર્ષો સુધી ચાલે છે અને ત્યારબાદ નાગા સાધુ તૈયાર થાય છે.

કેવી રીતે બને છે નાગા બાવા?

જ્યારે પણ કોઈ વ્યક્તિ નાગા સાધુ બનવા અખાડામાં જાય છે, તો સૌથી પહેલા તેના બેકગ્રાઉન્ડ વિશે જાણવામાં આવે છે. જ્યારે અખાડો સંપૂર્ણ રીતે ખાતરી કરી લે છે, ત્યારે શરૂ થાય છે તે વ્યક્તિની અસલી પરીક્ષા. અખાડામાં પ્રવેશ્યા બાદ નાગા સાધુઓની બ્રહ્મચર્યની પરીક્ષા લેવામાં આવે છે જેમાં તપ, બ્રહ્મચર્ય, વૈરાગ્ય, સંન્યાસ અને ધર્મની દીક્ષા આપવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં એક વર્ષથી લઈને 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે. એક વખત અખાડો નક્કી કરી લે તે વ્યક્તિ દીક્ષા લેવાને લાયક બની ગઈ છે ત્યારબાદ તેને આગળની બીજી પ્રક્રિયામાં પસાર થવાનું હોય છે. બીજી પ્રક્રિયામાં નાગા બાવા પોતાનું મુંડન કરાવીને પિંડદાન કરી દે છે, ત્યારબાદ તેમનું જીવન અખાડા અને સમાજ માટે સમર્પિત થઈ દાય છે. તેઓ સાંસારિક જીવનથી સંપૂર્ણ રીતે અલગ થઈ જાય છે. તેમનો પોતાના પરિવાર કે સંબંધીઓ સાથે કોઈ મતલબ નથી રહેતો.

આ બીજી પ્રક્રિયામાં નાગા પોતાનું મુંડન કરાવીને પોતાનું જ પિંડદાન કરી દે છે. આ એવી પ્રક્રિયા છે જેમાં તે પોતાને પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માની લે છે અને પોતાના જ હાથોથી પોતાનું શ્રાદ્ધ કરે છે ત્યારબાદ અખાડાના ગુરૂ નવું નામ અને ઓળખ આપે છે.

ચિતાની રાખથી ભસ્મની ચાદર

નાગા સાધુ બન્યા બાદ તેઓ પોતાના શરીર પર ભભૂતની ચાદર ચઢાવી લે છે. આ ભસ્મ બહુ લાંબી પ્રક્રિયા બાદ બને છે. મડદાની રાખને શુદ્ધ કરી તેને શરીર પર મલવામાં આવે છે અને ત્યારબાદ હવન કે ધૂનીની રાખથી શરીર ઢાંકવામાં આવે છે.

આ પણ વાંચો: 2019માં યોજાનાર કુંભ મેળાની તારીખ થઇ જાહેર, જાણી લો તમામ માહિતી

ક્યાં રહે છે નાગા બાવાઓ?

એવું મનાય છે કે મોટા ભાગના નાગા સાધુ હિમાલય, કાશી, ગુજરાત અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં રહે છે. નાગા બાવા વસ્તીથી દૂર ગુફાઓમાં સાધના કરે છે. એવું પણ કહેવાય છે કે નાગા બાવાઓ હંમેશાં એક જ ગુફામાં નથી રહેતા. તેઓ પોતાની જગ્યા બદલ્યા કરે છે. કેટલાયે નાગા સાધુઓ જંગલમાં ફરતા ફરતા કેટલાંયે વર્ષો કાઢી નાખે છે અને બસ કુંભ કે અર્ધ કુંભમાં જ જોવા મળે છે.

શું ખાય છે નાગા બાવા?

એવું કહેવાય છે કે નાગા સાધુ 24 કલાકમાં માત્ર એક વાર જ ખાય છે. અને એ ખોરાક પણ ભિક્ષા માગીને ભેગો કરેલો હોય છે. તેના માટે નાગા બાવાઓને 7 ઘરોમાંથી ભિક્ષા લેવાનો અધિકાર હોય છે. જો આ સાત ઘરોમાંથી કંઈ ન મળે તો તેમણે ભૂખ્યા રહેવાનો વારો આવે છે.

[yop_poll id=387]

કુંભમેળા પર ટીવી9 ગુજરાતી ખાસ સીરિઝ ચલાવી રહ્યું છે. આ સીરિઝમાં તમને મળશે કુંભમેળાને લગતી તમામ જાણકારી જેમ કે; ક્યાં રોકાશો, ક્યાં ખાશો-પીશો, કેવી રીતે કુંભમેળા સુધી પહોંચશો. કુંભમેળાને લગતી આ તમામ ખબરો અને સ્ટોરીઝની અપડેટ મેળવવા આ Whatsapp Group જોઈન કરો. ઉપરાંત, તમે આ લિંક પર ક્લિક કરીને પણ કુંભમેળાને લગતી ખબરો વાંચી શકો છો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">