ભારતમાં એક વ્યક્તિનું મોત થયું અને લાખો લોકોના 18 અબજ બેન્કમાં ફસાયા, પાસવર્ડ મળી જશે તો લાખો લોકો બની જશે કરોડપતિ
છેલ્લા થોડાં સમયથી ઘણું ચર્ચામાં આવેલું ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતે ગેરાલ્ડ કોટન નામનાં 30 વર્ષના મૃતકની કંપનીનું નામ ક્વાડ્રિગાસીએક્સનું ભારતમાં બિમારીને કારણે મોત થતાં તેના આશરે 250 મિલિયન ક્રિપ્ટો ડોલર આશરે 1800 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી લોક થઈ છે. જેનો પાસવર્ડ તેની પત્નીને પણ ખબર નથી. ગેરાલ્ડના મોત પર […]
છેલ્લા થોડાં સમયથી ઘણું ચર્ચામાં આવેલું ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતે ગેરાલ્ડ કોટન નામનાં 30 વર્ષના મૃતકની કંપનીનું નામ ક્વાડ્રિગાસીએક્સનું ભારતમાં બિમારીને કારણે મોત થતાં તેના આશરે 250 મિલિયન ક્રિપ્ટો ડોલર આશરે 1800 કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી લોક થઈ છે. જેનો પાસવર્ડ તેની પત્નીને પણ ખબર નથી.
ગેરાલ્ડના મોત પર કંપનીના સોશિયલ મીડિયા પેજના માધ્યમથી જણાવવામાં આવ્યું કે ગેરાલ્ડનું મૃત્યું તે સમયે થયું કે જ્યારે તેઓ ભારતની યાત્રા પર હતા. એ માહિતી પણ આપવામાં આવી છે કે તેઓ ભારતમાં અનાથ બાળકો માટે એક અનાથાલય ખોલવાના હતા.
ડિસેમ્બર 2018માં આંતરડા સંબંધીત બિમારીના કારણે ગેરાલ્ડનું મૃત્યુ થયું. કંપનીના સોશિયલ મીડિયા પેજના માધ્યમથી જણાવવામાં આવ્યું કે ગેરાલ્ડનું મૃત્યું તે સમયે થયું કે જ્યારે તેઓ ભારતની યાત્રા પર હતા. એ માહિતી પણ આપવામાં આવી છે કે તેઓ ભારતમાં અનાથ બાળકો માટે એક અનાથાલય ખોલવાના હતા. હાલમાં મોટા-મોટા સિક્યોરિટી એક્સપર્ટ્સ પણ હજી સુધી આ કરન્સીને અનલોક નથી કરી શક્યા.
31 જાન્યુઆરી 2018 ના રોજ ક્વાડ્રિગાસીએક્સે પોતાની વેબસાઈટના માધ્યમથી નોવા સ્કોટિયા સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી તેમને અનુમતિ આપવામાં આવે, જેનાથી તેઓ પોતાની આર્થિક સમસ્યાનું સોલ્યુશન લાવી શકે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહથી અમે અમારી આર્થિક સમસ્યાના સોલ્યુશન માટે ઘણા પ્રયત્નો કર્યા છે.
[yop_poll id=1148]