નર્મદા ડેમની જળસપાટીમાં 31 સે.મી.નો વધારો, જળસપાટી પહોચી 120 મીટરે
ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 31 સેન્ટીમીટરનો વધારો થતા જળસપાટી વધીને 120 મીટરે પહોચી છે. નર્મદાડેમના ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને કારણે જળસપાટીમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 1173 મિલિયન ક્યુબિક મીટર જળરાશી સંગ્રહાયેલી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ડેમના 25 દરવાજા ખોલીને પાણીને નર્મદા નદીમાં વહેતુ […]
ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 31 સેન્ટીમીટરનો વધારો થતા જળસપાટી વધીને 120 મીટરે પહોચી છે. નર્મદાડેમના ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને કારણે જળસપાટીમાં 28 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 1173 મિલિયન ક્યુબિક મીટર જળરાશી સંગ્રહાયેલી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ડેમના 25 દરવાજા ખોલીને પાણીને નર્મદા નદીમાં વહેતુ કરવાની ફરજ પડી હતી. જો કે 120 મીટરે જળસપાટી પહોચી હોવા છતા, 1200 મેગાવોટના રિવરબેડ પાવરહાઉસના તમામ યુનિટ હાલ બંધ રાખવામાં આવ્યા છે. આ સપ્તાહે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહીને જોતા હજુ પણ નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવાની ગણતરી અધિકારીઓ રાખી રહ્યાં છે.
આ પણ વાંચોઃભારે વરસાદથી વ્યાપક નુકસાન થતા 12 સ્ટેટ હાઈવે સહિત કુલ 225 રસ્તાઓ બંધ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો