પંચમહાલ: 40 વર્ષ બાદ સરકારે જમીન આપવાનું કહ્યું તો પણ આ ખેડૂતોને જમીનથી વંચિત રહેવાનો આવ્યો વારો

પંચમહાલ જિલ્લામાં 40 વર્ષ પહેલા બનાવવામાં આવેલા હડફ, કબુતરી અને અદલવાડા ડેમના 479 વિસ્થાપિતોને જંગલની જમીનની સનદ આપવા માટે રાજ્ય સરકારે હાલ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે સરકાર દ્વારા તમામ અસરગ્રસ્તોને જમીનના અધિકાર પત્રો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે સરકાર દ્વારા […]

પંચમહાલ: 40 વર્ષ બાદ સરકારે જમીન આપવાનું કહ્યું તો પણ આ ખેડૂતોને જમીનથી વંચિત રહેવાનો આવ્યો વારો
Follow Us:
Nikunj Patel
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:14 PM

પંચમહાલ જિલ્લામાં 40 વર્ષ પહેલા બનાવવામાં આવેલા હડફ, કબુતરી અને અદલવાડા ડેમના 479 વિસ્થાપિતોને જંગલની જમીનની સનદ આપવા માટે રાજ્ય સરકારે હાલ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે સરકાર દ્વારા તમામ અસરગ્રસ્તોને જમીનના અધિકાર પત્રો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે સરકાર દ્વારા વિવિધ નદીઓ પર ડેમ બનાવવાનું નક્કી કરીને વર્ષ 1978માં હડફ, કબુતરી અને અદલવાડા ડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. જેનું અમલીકરણ પણ શરુ કરવામાં આવ્યું અને ત્રણેય ડેમના બાંધકામ માટે જમીન સંપાદન શરુ કરવામાં આવ્યું.

Panchmahal: 40 years bad sarkar e jamin aapvanu kahyu to pan aa kheduto ne jamin thi vanchit rehvano aavyo varo

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં હડફ ડેમના નિર્માણ માટે લીમખેડા તાલુકાના 7 ગામોના 670 ખેડૂત ખાતેદારોની જમીન, કબુતરી ડેમના બાંધકામ માટે લીમખેડા તાલુકાના 5 ગામોના 169 ખેડૂત ખાતેદારોની જમીન અને અદલવાડા ડેમના બાંધકામ માટે ધાનપુર તાલુકાના 101 ખેડૂત ખાતેદારો આમ ત્રણેય યોજનાના બાંધકામ માટે કુલ 940 ખેડૂતોની જમીન સરકાર દ્વારા અધિગ્રહણ કરવામાં આવી હતી. જમીન અધિગ્રહણ કરવામાં આવ્યા બાદ ત્રણેય ડેમનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું અને જમીન અધિગ્રહણ કરવાથી અસરગ્રસ્ત બનેલા તમામ 940 વિસ્થાપિતોને વર્ષ 1982માં પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકામાં આવેલી જંગલની જમીનમાં વન વિભાગની મંજુરીની અપેક્ષાએ સરકાર દ્વારા વિસ્થાપિત કરવાના હુકમો આપ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Panchmahal: 40 years bad sarkar e jamin aapvanu kahyu to pan aa kheduto ne jamin thi vanchit rehvano aavyo varo

બાદમાં વનસંરક્ષક ધારો 1980 અમલમાં આવતા 1982ના વર્ષમાં જંગલની જમીનમાં વિસ્થાપિત કરવા અંગેના સરકારના જ હુકમો રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલાની કાર્યવાહી જાણે અભરાઈએ ચઢી ગઈ. સ્થાનિક અસરગ્રસ્તો દ્વારા અનેક રજુઆતો બાદ વનસંરક્ષણ ધારા 1980ની જોગવાઈઓ અનુસાર વર્ષ 2009માં કેન્દ્ર સરકારમાં જંગલની જમીનને ડીફોરેસ્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં કુલ 940 અસરગ્રસ્તો પૈકી 461 અસરગ્રસ્તોને સરકારના ઠરાવ પ્રમાણે એક એકરના રૂ.2000 લેખે 5 એકરના કુલ રૂ.10,000નું વળતર ચૂકવી દેવામાં આવ્યું હોવાનું દરખાસ્તમાં જણાવી, 479 અસરગ્રસ્તોને જમીન અધિકારપત્રો આપવા અંગેની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ તમામ કાર્યવાહીના અંતે કેન્દ્રીય પર્યાવરણ સમિતિ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાની જંગલની જમીનને ડીફોરેસ્ટ કરવા માટે મંજુરી આપી અને હવે 479 અસરગ્રસ્તોને 40 વર્ષ બાદ જમીનના અધિકારપત્રો મળવાના છે, ત્યારે બાકી રહેલા અન્ય અસરગ્રસ્તોએ આ સમગ્ર નિર્ણયને લઈને નારાજગી વ્યક્ત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે સરકારના અધિકારીઓ દ્વારા વર્ષ 1986માં ગોધરા અને શહેરા ખાતે આવેલી જંગલની જમીનમાં પુનઃ વસવાટ કરવામાં આવ્યા બાદ તેમના કાચા અને પાકા મકાનોને સરકારી અધિકારીઓ અને પોલીસની મદદથી સળગાવી દેવામાં આવ્યા હતા અને તેમને જંગલની જમીનમાંથી ભગાડી મુકવામાં આવ્યા હતા.

Panchmahal: 40 years bad sarkar e jamin aapvanu kahyu to pan aa kheduto ne jamin thi vanchit rehvano aavyo varo

બાદમાં જમીન સંપાદન અધિકારી દ્વારા તેઓને ઘરવખરી સળગી જવાથી થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે તેમ જણાવી રૂ.10 હજાર આપવામાં આવ્યા હતા. જે રૂ.10000ની સહાયને હાલ અનુદાન આપવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે બતાવીને તેમને જમીનના હકથી વંચિત રાખવામાં આવ્યા છે. હાલ આ તમામ 461 અસરગ્રસ્તો ડુબાણમાં ગયેલી પોતાની જમીન પર જ પરત આવીને છેલ્લા 35 વર્ષથી વસવાટ કરી રહ્યા છે, આ જમીન પર વર્ષના 8 મહિના સુધી પાણી ભરાયેલું રહે છે. જેથી કરીને તેઓ કોઈ જ ખેતીકામ આ જમીન પર કરી શકતા નથી. બાકીના ઉનાળાના 4 મહિના જમીન ખુલ્લી થતા તેઓ ખેતીકામ કરે છે. સમગ્ર બાબતની વચ્ચે તેઓની 2 પેઢીઓ હાલ શિક્ષણથી વંચિત રહેવા પામી છે.

ત્યારે હવે બાકી રહેલા 461 અસરગ્રસ્તોની હાલત છેલ્લા કેટલાય વર્ષોથી કફોડી બનેલી છે. સરકાર દ્વારા 479 અસરગ્રસ્તોને જમીન આપવાનું જાહેર કરવામાં આવતા આ બાકી રહેલા અસરગ્રસ્તો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તેમની અરજ સાંભળનારું હવે કોઈ રહ્યું નથી તે પછી સરકારના અધિકારીઓ હોય કે જનપ્રતિનિધિ  હોય. ત્યારે હાલ આ તમામ અસરગ્રસ્તો સરકાર પાસે પોતાના જીવનનિર્વાહ માટે જમીન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">