અરબી સમુદ્રમાં વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું આ તારીખે ગુજરાતમાં ત્રાટકી શકે છે
પ્રચંડ ‘વાયુ’ વાવાઝોડા સામે ટકરાવવા ગુજરાત સરકાર સજજ છે. અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે ગુજરાતમાં ત્રાટકે તેવી સંભાવના છે. તો 13મીના પરોઢે બેથી ત્રણ વાગ્યાની આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 120 -145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જેને લઈ સૌરાષ્ટ્ર […]
પ્રચંડ ‘વાયુ’ વાવાઝોડા સામે ટકરાવવા ગુજરાત સરકાર સજજ છે. અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે ગુજરાતમાં ત્રાટકે તેવી સંભાવના છે. તો 13મીના પરોઢે બેથી ત્રણ વાગ્યાની આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 120 -145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જેને લઈ સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લામાં NDRF અને આર્મીની ટીમ તૈનાત કરાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો આ તરફ પોરબંદરમાં વાયુ વાવાઝોડાને લઈ પ્રશાસને તાકીદે અપીલ કરી છે. હોટલમાં રોકાયેલા તમામ ટુરિસ્ટોને હોટલ છોડવા અને નવા ટુરિસ્ટોને રૂમ ના આપવા હોટલ માલિકોને અપીલ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો