જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો…પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા
જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો ચાલી રહ્યો છે. ભવનાથ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે આ પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા છે. સાધુ, સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ભવનાથના જંગલ વિસ્તારમાં કુલ 550 રાવટીઓ લગાવવામાં આવી છે. ગુજરાતના તમામ મોટા સંતો, આશ્રમો અને જ્ઞાતીઓની રાવટીઓમાં 24 કલાક જમવાની સુવિધા […]
જૂનાગઢમાં મહાશિવરાત્રીનો પાંચ દિવસીય ભવનાથ મેળો ચાલી રહ્યો છે. ભવનાથ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે આ પાંચ દિવસમાં અંદાજે 10 લાખ લોકો આવે તેવી શક્યતા છે. સાધુ, સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ભવનાથના જંગલ વિસ્તારમાં કુલ 550 રાવટીઓ લગાવવામાં આવી છે. ગુજરાતના તમામ મોટા સંતો, આશ્રમો અને જ્ઞાતીઓની રાવટીઓમાં 24 કલાક જમવાની સુવિધા ઉપરાંત સ્નાન અને ભજનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
જૂનાગઢના ભવનાથમાં અનેક આશ્રમો તો છે જ. પરંતુ લાખો લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે વેરાન જગ્યા પર તત્કાલ સુવિધાસભર આવાસ કે રહેઠાણ ઉભા કરાય છે, તેને રાવટી કહેવામાં આવે છે. આ રાવટીઓ માટે ભવનાથ મેળાના 10 દિવસ પહેલા જગ્યા ફાળવી દેવામાં આવે છે. જેમાં અમુક રાવટીવાળાઓ તો છેલ્લા પચાસ વર્ષથી અહીંયા રાવટી લઈને આવે છે. મહત્વનું છે કે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે આ રાવટીઓ માટે સેવાભાવી લોકો જૂનાગઢમાં ધામા નાખે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો