Zydus Cadilaની કોરોના વેક્સિનને આ અઠવાડીયે ઈમરજન્સી ઉપયોગની મળી શકે છે મંજુરી 

|

Aug 09, 2021 | 2:48 PM

ઝાયડસ કેડિલાએ 1 જુલાઈએ ZyCoV-D માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. જો આ વેક્સિનને મંજૂર કરવામાં આવશે તો ભારત બાયોટેકની કોવેક્સિન બાદ તે દેશની બીજી સ્વદેશી વેક્સિન હશે.

Zydus Cadilaની કોરોના વેક્સિનને આ અઠવાડીયે ઈમરજન્સી ઉપયોગની મળી શકે છે મંજુરી 
Zydus Cadila Corona Vaccine

Follow us on

Zydus Cadila:દેશમાં કોરોનાના ત્રીજી લહેરને(Third Wave)  ધ્યાનમાં રાખીને સરકાર રસીકરણ પર ભાર આપી રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ, ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કોરોના રસીને આ અઠવાડિયે મંજૂરી મળી શકે છે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ જુલાઇમાં ભારતીય ડ્રગ્સ કંટ્રોલ વિભાગ (Drugs Controller General of india)ને ઇમ્યુનોજેનિસિટી અને સલામતી સંબંધિત વધારાના ડેટા સબમિટ કર્યા હતા. જો સૂત્રોનું માનીએ તો, અગાઉ ડ્રગ રેગ્યુલેટરએ ઝાયડસ કેડિલાને વધુ ડેટા જમા કરાવવા જણાવ્યું હતું.

ઝાયડસ કેડિલાએ 1 જુલાઈએ ZyCoV-D માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. જો આ વેક્સિનને મંજૂર કરવામાં આવશે તો ભારત બાયોટેકની કોવેક્સિન બાદ તે દેશની બીજી સ્વદેશી વેક્સિન હશે.

આ રસી કેવી રીતે કામ કરશે?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પ્લાઝમિડ ડીએનએ (DNA)રસી છે. આપને જણાવવું રહ્યું કે,પ્લાઝમિડ એ મનુષ્યમાં જોવા મળતા DNA નો એક નાનો ભાગ છે. આ રસી માનવ શરીરમાં કોષોની મદદથી કોરોના વાયરસનું સ્પાઇક પ્રોટીન (Spike protein)તૈયાર કરે છે અને આ શરીરમાં કોરોના વાયરસના મહત્વના ભાગને ઓળખવામાં મદદ કરે છે. આ રીતે શરીરમાં જ વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે.

આ વેક્સિનને લગાવવા માટે સ્પ્રિંગની મદદથી તૈયાર કરવામાં આવેલ ડિવાઈસનો(Devices) ઉપયોગ કરવામાં આવશે,જેના દ્વારા વેક્સિનને ત્વચા પર લગાવવામાં આવશે.

આ રસીના કેટલા ડોઝ આપવામાં આવશે?

આ રસીનું પરીક્ષણ ત્રણ ડોઝ મુજબ કરવામાં આવ્યું છે. પ્રથમ ડોઝના(First dose) 21 દિવસ પછી બીજી ડોઝ આપવામાં આવશે અને ત્રીજો ડોઝ 56 દિવસ પછી આપવામાં આવશે. સાથે કંપનીએ દાવો કર્યો હતો કે, આ રસીનું પરીક્ષણ (Vaccine Test) બે ડોઝમાં પરીક્ષણ કરવામાં આવ્યુ છે અને તે જ પરિણામો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સિનના માત્ર બે ડોઝ પણ લાગુ કરવામાં આવી શકે.

 

આ પણ વાંચો: Corona Crisis In India: સર્વેમાં 90 ટકા લોકોએ જણાવ્યું કે, સરકારે બુકિંગ રિફંડ પોલિસી તૈયાર કરવી જોઈએ

આ પણ વાંચો: Maharashtra Unlock: રાજ્યમાં હોટલ, મોલ, મંદિરો ખોલવા અંગે, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક બાદ લેવાશે નિર્ણય

Next Article