માત્ર કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેવાથી સમસ્યા હલ નહીં થાય, MSP પર જોઈએ સમાધાન, હૈદરાબાદમાં બોલ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત

ટિકૈતે કહ્યું દેશમાં ખેડૂતોની જે સમસ્યા છે, તે એવીને એવી જ છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત નહીં કરે અને એમએસપી પર કાયદો નહીં લાવે, ત્યાં સુધી અમારૂ પ્રદર્શન ચાલુ રહેશે.

માત્ર કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેવાથી સમસ્યા હલ નહીં થાય, MSP પર જોઈએ સમાધાન, હૈદરાબાદમાં બોલ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત
Rakesh Tikait
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 9:31 PM

3 કૃષિ કાયદાને (Farm Law) પરત લેવાના કેન્દ્ર સરકાર (Central Government)ના નિર્ણય બાદ હૈદરાબાદમાં ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે ખેડૂતોને એસએસપી (MSP) પર સમાધાન જોઈએ. હૈદરાબાદમાં રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે કાયદાને પરત લેવાનો નિર્ણય કર્યો પણ આ અમારૂ સમાધાન નથી. ખેડૂતોને એમએસપી પર સમાધાન જોઈએ.

ટિકૈતે કહ્યું દેશમાં ખેડૂતોની જે સમસ્યા છે, તે એવીને એવી જ છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત નહીં કરે અને એમએસપી પર કાયદો નહીં લાવે, ત્યાં સુધી અમારૂ પ્રદર્શન ચાલુ રહેશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત આંદલનકારીઓ તરફથી અમે સરકાર સમક્ષ માંગ મુકી છે. સરકાર આ માંગને પૂરી કરે, અમારૂ સમાધાન એમએસપીની ગેરંટી મળવા પર હશે. સરકારને ખેડૂતો સાથે વાત કરવી પડશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રાજ્યોને કરી ખેડૂતોને વળતર આપવાની અપીલ

તેલંગણા સરકાર દ્વારા જે ખેડૂતો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, તેમને 3 લાખ રૂપિયા વળતર આપવાની વાત પર તેમને કહ્યું કે આ સારી વાત છે કે તેલંગણા સરકાર તેના દ્વારા સંદેશ આપવા ઈચ્છે છે કે અમે ખેડૂતોની સાથે છીએ, બીજા રાજ્યોએ પણ ખેડૂતોને વળતર આપવું જોઈએ, કરાણે અમે દેશભરના ખેડૂતો માટે આંદોલન કરી રહ્યા છે.

ખેડૂત નેતા આશીષ મિતલે કહ્યું કે સરકાર 3 કૃષિ કાયદા લઈને આવી હતી. સરકારે પરત લઈ લીધા છે પણ તેનાથી અમારૂ સમાધાન નહીં થાય. અમારૂ સમાધાન એમએસપીની ગેરંટી મળવા પર થશે અને ભાજપ નેતા અજય મિશ્રા ટેનીની ધરપકડ કરવામાં આવે.

આંદોલનને 1 વર્ષ પૂર્ણ થવા પર મોટા પ્રદર્શનની તૈયારી

ત્યારે બીજી તરફ ખેડૂત સંગઠન આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા પર 26 નવેમ્બરે દિલ્હીની સરહદ પર મોટા પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે. 40થી વધારે ખેડૂત સંગઠનોના સમૂહ સંયૂક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે તે પોતાનું આંદોલન ખત્મ નથી કરવાના, કારણ કે તેમની માંગ હજુ પણ બાકી છે. સંગઠનોની અપીલ બાદ મોટી સંખ્યામાં ખેડૂતો રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર પહોંચવા લાગ્યા છે.

આ પણ વાંચો: સામાન્ય માણસને વધુ એક ફટકો ! હવે વ્હીલ, રિન અને લક્સ જેવા સાબુ અને સર્ફ મોંઘા થયા, જાણો કિંમતમાં કેટલો વધારો થયો

આ પણ વાંચો: Raj Kundra: 2020 અશ્લિલ ફિલ્મ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા રાજ કુંદ્રાનાં આગોતરા જામીન નામંજૂર કરાયા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">