AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહના આ નિર્ણયથી ખેડૂતો થઈ જશે માલામાલ, જાણો શું છે સરકારની સંપૂર્ણ યોજના

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ભારત સરકારના NCDCએ સહકારી સંસ્થાઓના કામો માટે હરિયાણાને 10,000 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે.

અમિત શાહના આ નિર્ણયથી ખેડૂતો થઈ જશે માલામાલ, જાણો શું છે સરકારની સંપૂર્ણ યોજના
Amit Shah (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 1:14 PM
Share

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે કરનાલમાં હરિયાણા સહકારી વિભાગની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના 75માં વર્ષમાં ઐતિહાસિક નિર્ણય લેતા અલગ સહકારી મંત્રાલયની રચના કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની આ કાર્યવાહી સહકારી ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે.

ગૃહ પ્રધાને કહ્યું કે અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન, સહકારી મંત્રાલયે ઘણા ક્ષેત્રોમાં નવી શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ વર્ષ 2025 પહેલા દેશની દરેક પંચાયતોમાં PACSની સ્થાપના કરવામાં આવશે. આઝાદી બાદથી અત્યાર સુધીમાં 65000 PACSની રચના કરવામાં આવી હતી. પરંતુ મોદી સરકાર આગામી 3 વર્ષમાં 2 લાખ નવા PACSની રચના કરીને સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારશે. અમિત શાહે કહ્યું કે, આજે હરિયાણામાં સહકારી ક્ષેત્ર માટે લેવાયેલા આ પગલાં ગરીબમાં ગરીબ લોકો માટે સંજીવની સાબિત થશે.

એક્સપોર્ટ હાઉસ ખેડૂતો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે

ગૃહ પ્રધાને કહ્યું કે ભારત સરકારના NCDCએ સહકારી સંસ્થાઓના કામ માટે હરિયાણાને 10,000 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે. જે ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપશે. આ સાથે જિલ્લા સહકારી બેંકને એનપીએ મુક્ત બનાવવા માટે પણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અહીં ઈન્ટરનેટ રેડિયો- ‘સહકારિતા વાણી’ અને એક્સપોર્ટ હાઉસ લોન્ચ કરવામાં આવ્યા છે. પેકેજિંગથી લઈને બ્રાન્ડિંગ અને નિકાસ સંબંધિત સુવિધાઓમાં આ એક્સપોર્ટ હાઉસ ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

દેશનું આયાત બિલ પણ ઘટશે

ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, સહકારી વાણી દ્વારા કૃષિ, પશુ સંવર્ધન અને દૂધની ગુણવત્તામાં સુધારણા સંબંધિત મુખ્ય વૈજ્ઞાનિક માહિતી ખેડૂતો અને સહકારી સંસ્થાઓને સમયાંતરે ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે 2014માં ઇથેનોલનું મિશ્રણ 1% કરતા ઓછું હતું, જે આજે 10% કરતા વધારે છે. તેવી જ રીતે, 2025 સુધીમાં તેને વધુ વધારીને 20% કરવામાં આવશે. તેનાથી સુગર મિલોની આવકમાં વધારો થશે. સાથે જ એપીએમસીની ખરાબ ડાંગરનો પણ ઉપયોગ થશે અને દેશનું આયાત બિલ પણ ઘટશે.

અનાજ અને દૂધના ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે

અમિત શાહે કહ્યું કે, આજે અહીં 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સહકારી દૂધ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે દરરોજ 5 લાખ લિટર દૂધ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે મુખ્યપ્રધાન મનોહર લાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હરિયાણાની કાયાપલટ માટે ઘણું કર્યું છે. આ હીરોની ભૂમિ છે અને અનાજ અને દૂધના ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે છે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">