500ની નોટ પર ભગવાન રામની તસવીર, ખરેખર RBIએ નવી સિરીઝની નોટ જાહેર કરી ?

ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેને 22 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ વાતમાં કેટલું સત્ય છે?

500ની નોટ પર ભગવાન રામની તસવીર, ખરેખર RBIએ નવી સિરીઝની નોટ જાહેર કરી ?
viral 500 rs note
Follow Us:
| Updated on: Jan 17, 2024 | 8:09 AM

શું બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના ચિત્રો સાથે રૂપિયા 500ની નોટોની નવી સિરીઝ જાહેર કરવા જઈ રહી છે? શું RBI ભગવાન શ્રી રામ અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તસવીરોવાળી 500 રૂપિયાની નોટ સાચે જ જાહેર કરશે?

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે, ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે 500 રૂપિયાની નોટનો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે.

જેમાં મહાત્મા ગાંધીની જગ્યાએ શ્રી રામની તસવીર છે

સોશિયલ મીડિયા પર અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને શ્રી રામ મંદિરની તસવીરો સાથેની 500 રૂપિયાની નોટ વાયરલ થઈ રહી છે. આપણે બધા જાણીએ જ છીએ કે 500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છે. પરંતુ જ્યારે આ વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટમાં રામ ભગવાન દર્શાવવામાં આવ્યા છે. જ્યાં લાલ કિલ્લાનો ફોટો છે, ત્યાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ફોટો છાપવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

શું RBI નવી સિરીઝની નોટો જાહેર કરી રહી છે?

એક તરફ આ નોટ તો વાયરલ થઈ રહી છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંકે ભગવાન શ્રી રામની તસવીરવાળી 500 રૂપિયાની નવી સિરીઝની નોટો બહાર પાડવા અંગે કોઈ પણ સટીક માહિતી આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામની તસવીરો સાથે વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટ નકલી છે.

બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત અને વોઈસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે, આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે RBI દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. તેણે કહ્યું કે, આ ફેક ન્યૂઝ છે. RBI આવી કોઈ નવી 500 સિરીઝની નોટ જાહેર કરશે નહીં.

RBI પહેલા જ આ વાતને નકારી ચૂકી છે

આ પહેલીવાર નથી કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ કોઈ અન્ય તસવીર સાથે 500 રૂપિયાની નવી નોટોની સિરીઝ બહાર પાડવામાં આવી હોય. જૂન 2022માં એવું કહેવામાં આવી રહ્યું હતું કે RBI વર્તમાન ચલણ અને બેંક નોટોમાં મહાત્મા ગાંધીની તસવીરને બદલીને રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઈલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ APJ કલામની તસવીરોવાળી નોટોની નવી સિરીઝ છાપવાનું વિચારી રહી છે. ત્યાર બાદ આરબીઆઈએ આ સમાચારને નકારવા આગળ આવવું પડ્યું હતું. ત્યારે RBIએ કહ્યું હતું કે આવો કોઈ પ્રસ્તાવ RBI સમક્ષ નથી.

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">