AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

500ની નોટ પર ભગવાન રામની તસવીર, ખરેખર RBIએ નવી સિરીઝની નોટ જાહેર કરી ?

ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેને 22 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ વાતમાં કેટલું સત્ય છે?

500ની નોટ પર ભગવાન રામની તસવીર, ખરેખર RBIએ નવી સિરીઝની નોટ જાહેર કરી ?
viral 500 rs note
| Updated on: Jan 17, 2024 | 8:09 AM
Share

શું બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના ચિત્રો સાથે રૂપિયા 500ની નોટોની નવી સિરીઝ જાહેર કરવા જઈ રહી છે? શું RBI ભગવાન શ્રી રામ અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તસવીરોવાળી 500 રૂપિયાની નોટ સાચે જ જાહેર કરશે?

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે, ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે 500 રૂપિયાની નોટનો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે.

જેમાં મહાત્મા ગાંધીની જગ્યાએ શ્રી રામની તસવીર છે

સોશિયલ મીડિયા પર અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને શ્રી રામ મંદિરની તસવીરો સાથેની 500 રૂપિયાની નોટ વાયરલ થઈ રહી છે. આપણે બધા જાણીએ જ છીએ કે 500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છે. પરંતુ જ્યારે આ વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટમાં રામ ભગવાન દર્શાવવામાં આવ્યા છે. જ્યાં લાલ કિલ્લાનો ફોટો છે, ત્યાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ફોટો છાપવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

શું RBI નવી સિરીઝની નોટો જાહેર કરી રહી છે?

એક તરફ આ નોટ તો વાયરલ થઈ રહી છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંકે ભગવાન શ્રી રામની તસવીરવાળી 500 રૂપિયાની નવી સિરીઝની નોટો બહાર પાડવા અંગે કોઈ પણ સટીક માહિતી આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામની તસવીરો સાથે વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટ નકલી છે.

બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત અને વોઈસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે, આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે RBI દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. તેણે કહ્યું કે, આ ફેક ન્યૂઝ છે. RBI આવી કોઈ નવી 500 સિરીઝની નોટ જાહેર કરશે નહીં.

RBI પહેલા જ આ વાતને નકારી ચૂકી છે

આ પહેલીવાર નથી કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ કોઈ અન્ય તસવીર સાથે 500 રૂપિયાની નવી નોટોની સિરીઝ બહાર પાડવામાં આવી હોય. જૂન 2022માં એવું કહેવામાં આવી રહ્યું હતું કે RBI વર્તમાન ચલણ અને બેંક નોટોમાં મહાત્મા ગાંધીની તસવીરને બદલીને રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઈલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ APJ કલામની તસવીરોવાળી નોટોની નવી સિરીઝ છાપવાનું વિચારી રહી છે. ત્યાર બાદ આરબીઆઈએ આ સમાચારને નકારવા આગળ આવવું પડ્યું હતું. ત્યારે RBIએ કહ્યું હતું કે આવો કોઈ પ્રસ્તાવ RBI સમક્ષ નથી.

હાઈ વૉલ્ટેજ મેચમાં 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી હાજર રહેશે
હાઈ વૉલ્ટેજ મેચમાં 27 પીઆઈ, 91 પીએસઆઈ, 3 હજાર પોલીસકર્મી હાજર રહેશે
અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર કરાયો
રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
g clip-path="url(#clip0_868_265)">