AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

500ની નોટ પર ભગવાન રામની તસવીર, ખરેખર RBIએ નવી સિરીઝની નોટ જાહેર કરી ?

ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેને 22 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ વાતમાં કેટલું સત્ય છે?

500ની નોટ પર ભગવાન રામની તસવીર, ખરેખર RBIએ નવી સિરીઝની નોટ જાહેર કરી ?
viral 500 rs note
| Updated on: Jan 17, 2024 | 8:09 AM
Share

શું બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના ચિત્રો સાથે રૂપિયા 500ની નોટોની નવી સિરીઝ જાહેર કરવા જઈ રહી છે? શું RBI ભગવાન શ્રી રામ અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તસવીરોવાળી 500 રૂપિયાની નોટ સાચે જ જાહેર કરશે?

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે, ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે 500 રૂપિયાની નોટનો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે.

જેમાં મહાત્મા ગાંધીની જગ્યાએ શ્રી રામની તસવીર છે

સોશિયલ મીડિયા પર અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને શ્રી રામ મંદિરની તસવીરો સાથેની 500 રૂપિયાની નોટ વાયરલ થઈ રહી છે. આપણે બધા જાણીએ જ છીએ કે 500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છે. પરંતુ જ્યારે આ વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટમાં રામ ભગવાન દર્શાવવામાં આવ્યા છે. જ્યાં લાલ કિલ્લાનો ફોટો છે, ત્યાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ફોટો છાપવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

શું RBI નવી સિરીઝની નોટો જાહેર કરી રહી છે?

એક તરફ આ નોટ તો વાયરલ થઈ રહી છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંકે ભગવાન શ્રી રામની તસવીરવાળી 500 રૂપિયાની નવી સિરીઝની નોટો બહાર પાડવા અંગે કોઈ પણ સટીક માહિતી આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામની તસવીરો સાથે વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટ નકલી છે.

બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત અને વોઈસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે, આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે RBI દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. તેણે કહ્યું કે, આ ફેક ન્યૂઝ છે. RBI આવી કોઈ નવી 500 સિરીઝની નોટ જાહેર કરશે નહીં.

RBI પહેલા જ આ વાતને નકારી ચૂકી છે

આ પહેલીવાર નથી કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ કોઈ અન્ય તસવીર સાથે 500 રૂપિયાની નવી નોટોની સિરીઝ બહાર પાડવામાં આવી હોય. જૂન 2022માં એવું કહેવામાં આવી રહ્યું હતું કે RBI વર્તમાન ચલણ અને બેંક નોટોમાં મહાત્મા ગાંધીની તસવીરને બદલીને રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઈલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ APJ કલામની તસવીરોવાળી નોટોની નવી સિરીઝ છાપવાનું વિચારી રહી છે. ત્યાર બાદ આરબીઆઈએ આ સમાચારને નકારવા આગળ આવવું પડ્યું હતું. ત્યારે RBIએ કહ્યું હતું કે આવો કોઈ પ્રસ્તાવ RBI સમક્ષ નથી.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">