AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું બદલાઈ જશે Indira Gandhiનો 51 વર્ષ જૂનો નિર્ણય? દેશમાં રહેશે માત્ર ચાર સરકારી બેંક!

વર્ષ 2021ના ​​બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરવામાં આવશે.

શું બદલાઈ જશે  Indira Gandhiનો 51 વર્ષ જૂનો નિર્ણય? દેશમાં રહેશે માત્ર ચાર સરકારી બેંક!
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 05, 2021 | 7:49 PM
Share

વર્ષ 2021ના ​​બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરવામાં આવશે. બજેટની જાહેરાત બાદ મુખ્ય આર્થિક સલાહકાર K.V. Subramaniamએ એક મુલાકાતમાં સરકારી બેંકોનું ખાનગીકરણ કરવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ માત્ર શરૂઆત છે. આગામી દિવસોમાં દેશમાં ફક્ત ચાર અથવા તેનાથી ઓછી જાહેર ક્ષેત્રની બેંકો રહેશે.

K.V. Subramaniamએ  જણાવ્યું હતું કે ભવિષ્યમાં બેંકિંગ વ્યૂહાત્મક ક્ષેત્રમાં જોડાશે અને દેશમાં જાહેર ક્ષેત્રની ફક્ત 4 બેન્કો હશે. આ સિવાય તમામ બેંકોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. દેશમાં હાલમાં જાહેર ક્ષેત્રની 12 બેંકો છે. 2 બેંકોના ખાનગીકરણની જાહેરાત પછી તે ઘટીને 10 પર આવશે. જો આપણે ઈતિહાસ પર નજર નાખીએ તો 19 જુલાઈ, 1969ના રોજ દેશના તત્કાલીન  વડાપ્રધાન અને નાણાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 14 મોટી ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. આ નિર્ણયથી સરકારે 80 ટકા બેંકિંગ સંપત્તિને અંકુશમાં લીધી હતી. ભારતીય રિઝર્વ બેંકના ઈતિહાસના ત્રીજા વોલ્યુમમા બેંકોને રાષ્ટ્રીયકૃત કરવાનો નિર્ણય 1991ના ઉદારીકરણના નિર્ણય કરતા વધુ મહત્વપૂર્ણ અને અસરકારક ગણાવ્યો હતો.

દેશમાં 2017 સુધીમાં 27 સરકારી બેંકો હતી

વર્ષ 2014માં પ્રથમવાર નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ છે અને સરકાર બેંકોના ખાનગીકરણની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. 2017 સુધીમાં દેશમાં કુલ 27 સરકારી બેંકો હતી. 2017માં પહેલી વાર પાંચ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકને સ્ટેટ બેંક ઈન્ડિયામાં મર્જ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડા સાથે મર્જ કરવામાં આવી હતી. આ નિર્ણય મોદી સરકારે એપ્રિલ 2017માં લીધો હતો. પરંતુ અહીં મોટો સવાલ એ છે કે જાહેર ક્ષેત્રની બેંકોનું વિલીનીકરણ અથવા ખાનગીકરણ કેટલું સફળ થશે. એક તરફ ઈન્દિરા ગાંધીએ બેંકોને રાષ્ટ્રીયકૃત કરી અને બેન્કિંગ ક્ષેત્ર માટે નવા દરવાજા ખોલ્યા. તે જ સમયે, છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકિંગ ક્ષેત્રની સ્થિતિ કંઈક બીજી તરફ ઈશારો કરી રહી છે.

2020માં 6 બેંકોનું  4 બેંકોમાં વિલીનીકરણ થયું 

ત્યારબાદ સરકારે 10 બેંકોના મર્જરની જાહેરાત કરી. આ અંતર્ગત છ બેંકોનું અસ્તિત્વ ચાર બેંકોમાં ભળી ગયું હતું, ત્યારબાદ દેશમાં 12 સરકારી બેંકો રહી. ગયા વર્ષે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું જોડાણ પંજાબ નેશનલ બેંકમાં થયું હતું. સિન્ડિકેટ બેંક કેનેરા બેંકમાં ભળી ગઈ. ઈલાહાબાદ બેંકનું ભારતીય બેંકમાં મર્જ કરવામાં આવ્યું હતું. યુનિયન બેન્ક ઈન્ડિયા અને આંધ્ર બેંક કોર્પોરેશન બેંકમાં ભળી ગઈ છે.

રાષ્ટ્રીયકરણનો શું ફાયદો?

બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય એમ જ લેવામાં આવ્યો ન હતો. 1969 પહેલાં દેશ ગરીબ હતો અને એવી ફરિયાદો હતી કે ખાનગી બેંકો કોર્પોરેટરોને લોન આપે છે, પરંતુ તેઓ ખેતી માટે લોન આપતા નથી. જ્યારે અન્ય અહેવાલમાં 1951 સુધી બેંકિંગ લોનમાં કૃષિનો હિસ્સો માત્ર 2 ટકા હતો. આ સમયે કોર્પોરેટ ધિરાણનો હિસ્સો 34 ટકાથી વધીને 64.3 ટકા થયો છે. આવી સ્થિતિમાં જ્યારે રાષ્ટ્રીયકરણનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે કૃષિ માટે લોન વધી ગઈ.આજની પરિસ્થિતિ જુદી છે. જો સરકાર દ્વારા સંચાલિત બેંકોની સંખ્યા આગામી દિવસોમાં ઘટીને 4 થઈ જશે તો તેનું શું નુકસાન થશે. તે ઈતિહાસના અભ્યાસથી સરળતાથી જાણી શકાય છે.

આ પણ વાંચો: SURAT : ભાજપે વય મર્યાદાના કારણે બે ઉમેદવારોને બદલ્યા

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">