AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભારત પશુપાલકોની મદદથી LAC પર ચીનની ધૂસણખોરીના પ્લાન પર પાણી ફેરવી શકશે? વાંચો કેમ છે પશુપાલકો સેનાનાં આંખ અને કાન

ભારતીય પશુપાલકો ચીનની યોજનાઓને નિષ્ફળ બનાવવામાં મદદ કરે છે. કારગીલમાં પાકિસ્તાની સેનાની હિલચાલ સૌથી પહેલા પશુપાલકોજોઈ હતી.

શું ભારત પશુપાલકોની મદદથી LAC પર ચીનની ધૂસણખોરીના પ્લાન પર પાણી ફેરવી શકશે? વાંચો કેમ છે પશુપાલકો સેનાનાં આંખ અને કાન
Will India be able to turn the tide on China's infiltration plan on the LAC with the help of pastoralists? (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 8:54 AM
Share

LAC : ભારત ફરીથી LAC નજીકના ગોચરો પર પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સેના (Indian Army) LAC (Line of Actual Control)ની સાથે રહેતા પશુપાલકોને તેમના પ્રાણીઓને LACની નજીકના ગોચરમાં ખસેડવામાં મદદ કરી રહી છે જે ભારત દ્વારા દાવો કરવામાં આવેલ વિસ્તારમાં છે. સેના આ પશુપાલકોને સુરક્ષા પણ આપી રહી છે અને જરૂરી મદદ પણ કરી રહી છે.

ચીનની યોજનાઓને નિષ્ફળ બનાવવામાં મદદ

ચીન તેના પશુપાલકો દ્વારા જાસૂસી કરાવે છે. ઘેટાંપાળકોની વચ્ચે ચીની સૈનિકો આવીને ભારતીય વિસ્તાર પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, ભારતીય પશુપાલકો ભારતીય સેના(Indian Army) ની આંખ અને કાન બની જાય છે અને ચીનની યોજનાઓને નિષ્ફળ બનાવવામાં મદદ કરે છે. કારગીલમાં પણપશુપાલકોએ સૌથી પહેલા પાકિસ્તાની સેનાની હિલચાલ જોઈને ભારતીય સેનાને એલર્ટ કરી હતી. LAC (Line of Actual Control)પર ચીની સૈનિકોની હિલચાલ વિશે પણ પશુપાલકો પાસેથી માહિતી મળી છે. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સેના આ પશુપાલકોને એલએસીની સાથે તેમના પરંપરાગત ગોચરમાં પાછા ફરવામાં મદદ કરી રહી છે.

ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં ગયા વર્ષેથી તણાવ

Line of Actual Control (LAC) પર આવા ઘણા પોઈન્ટ છે જેનો ભારત અને ચીન બંને પોતાનો દાવો કરે છે. જેના કારણે સમયાંતરે વિવાદો થતા રહે છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં ગયા વર્ષે મે મહિનાથી તણાવ છે અને તે હજુ પણ ઘણા મુદ્દાઓ પર યથાવત છે. દરમિયાન, ભારતીય સેના (Indian Army)  પૂર્વ લદ્દાખમાં પશુપાલકોની મદદ કરી રહી છે.અહીં ઘણા ગોચરો કે જે પરંપરાગત રીતે LACની નજીક અનેક પશુપાલકો અહિ સુધી જતા નથી, આ ગોચર સુધી પહોંચવામાં અસમર્થ છે. ચીન પણ તે વિસ્તારોમાં દાવો કરે છે, તો ચીની સૈનિકો તે વિસ્તારોમાંથી ભારતીય પશુપાલકોને ભગાડે છે. ભારતીય સેના આ પશુપાલકોને સતત મદદ કરી રહી છે જેથી કરીને તેઓ તે ગોચરમાં પાછા ફરી શકે.

પ્રાણીઓ માટે અલગ મેડિકલ કેમ્પનું આયોજન

આ પશુપાલકો ગોચર પર ભારતનો દાવો મજબૂત કરશે. આ સાથે તે વિસ્તારો પર ભારતનો દાવો પણ મજબૂત રહેશે. ભારતીય સેના પશુપાલકો માટે મેડિકલ કેમ્પ અને તેમના પ્રાણીઓ માટે અલગ મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. પશુપાલકોમાં રાશનનું વિતરણ કરવાની સાથે ભારતીય સેના દરેક મુશ્કેલ સમયમાં તેમની પડખે છે.પૂર્વ લદ્દાખના ગ્રામવાસીઓએ ફરિયાદ કરી હતી કે તેઓ હવે ગોગરા વિસ્તારની નજીકના તેમના ગોચરની મુલાકાત લેવા માટે સક્ષમ નથી.

ગોગરા ભારત અને ચીન વચ્ચેના વિવાદના અનેક મુદ્દાઓમાંથી એક છે. ગયા વર્ષે, લદ્દાખના નેતાઓનું પ્રતિનિધિમંડળ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસેથી પણ મળ્યું હતું અને પશુપાલકોને તે ગોચરોમાં જવાની મંજૂરી માંગી હતી જ્યાં તેઓ હવે જઈ શકતા નથી.

આ પણ વાંચો : AIBAએ ચૂંટણી પંચને વિધાનસભા ચૂંટણી સ્થગિત કરવાની કરી અપીલ, કહ્યું દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">