Tamil Nadu Lok Sabha Exit Poll 2024: દક્ષિણનો કિલ્લો સર કરવા ઈચ્છતા ભાજપના, અન્નામલાઈનો તમિલનાડુમાં ચાલશે જાદુ ? જાણો TV9 એક્ઝિટ પોલ

|

Jun 02, 2024 | 2:42 PM

સમગ્ર તમિલનાડુની વાત કરીએ તો એક્ઝિટ પોલ અનુસાર NDAને 22.43 ટકા વોટ મળી રહ્યા છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 42.03 ટકા વોટ મળી રહ્યા છે. સર્વે દર્શાવે છે કે ઈન્ડિયા એલાયન્સ અહીં 39માંથી 35 સીટો જીતી શકે છે. જેમાં ડીએમકેને 21 અને કોંગ્રેસને 8 બેઠકો મળી શકે છે.

Tamil Nadu Lok Sabha Exit Poll 2024: દક્ષિણનો કિલ્લો સર કરવા ઈચ્છતા ભાજપના, અન્નામલાઈનો તમિલનાડુમાં ચાલશે જાદુ ? જાણો TV9 એક્ઝિટ પોલ

Follow us on

TV9, POLSTRAT અને PEPOLE’S INSIGHTના સર્વેમાં ભાજપને દક્ષિણના રાજ્યોમાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે. તમિલનાડુ એ દક્ષિણનું રાજ્ય છે જ્યાં લોકસભાની સૌથી વધુ 39 બેઠકો છે. તેથી આ રાજ્યમાં ભાજપે ચૂંટણી પૂર્વે ઘણા લાંબા સમયથી તૈયારીઓ કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય નેતા કે. અન્નામલાઈથી લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી, બધાએ તમિલનાડુમાં પાયાના સ્તરે બહુ મહેનત કરી.

તમિલનાડુમાં કે. અન્નામલાઈની જાદુઈ અસર જમીન પર જોવા મળી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે જ્યાં પણ રેલીઓ યોજી, ત્યાં ભારે ભીડ એકઠી થઈ. કે અન્નામલાઈ રેલીમાં ઉમટેલી વિશાળ ભીડને વડાપ્રધાન મોદીએ પોતે પણ જોઈ હતી. બંને નેતાઓએ એકબીજા સાથે સ્ટેજ પણ શેર કર્યું હતુ.

TV9 પર દેખાડવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ, તમિલનાડુમાં જે ચાર બેઠક પર NDA જીતવાની આગાહી કરવામાં આવી છે તેમાંથી એક કોઈમ્બતુર અન્નામલાઈની બેઠક છે. ચૂંટણી રેલીઓથી લઈને મીડિયા ઈન્ટરવ્યુ સુધી, અન્નામલાઈએ દાવો કર્યો હતો કે આ વખતે માત્ર કોઈમ્બતુરમાં જ નહીં પરંતુ તમિલનાડુની ઘણી બેઠકો પર કમળ ખીલશે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

કોઈમ્બતુરમાં ગત વખત કરતાં વધુ મતદાન

2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ કોઈમ્બતુરમાં 2024ની લોકસભા ચૂંટણીમાં લગભગ 8 ટકા વધુ મતદાન નોંધાયું હતું. કોઈમ્બતુરમાં 2019માં 64.81 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે 72.09 ટકા મતદાન થયું હતું. અન્નામલાઈએ દાવો કર્યો કે મતદાનની ટકાવારીમાં વધારો એ ભાજપની જીતની નિશાની છે.

તિરુનેલવેલીમાં પણ ભાજપ જીતી શકે છે

તમિલનાડુના એક્ઝિટ પોલ મુજબ, કોઈમ્બતુર સિવાય, બીજેપીની જીતની આગાહી કરાયેલી એકમાત્ર અન્ય સીટ તિરુનેલવેલી છે. ભાજપે તિરુનેલવેલીમાંથી નૈનાર નાગેન્દ્રનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અન્નામલાઈની જેમ નાગેન્દ્રન પણ તેમના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે. આ બે બેઠકો સિવાય ભાજપના સહયોગી પક્ષોને બે બેઠકો મળી શકે છે.

શું છે ડીએમકે-કોંગ્રેસની હાલત?

સમગ્ર તમિલનાડુની વાત કરીએ તો એક્ઝિટ પોલ અનુસાર NDAને 22.43 ટકા વોટ મળી રહ્યા છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 42.03 ટકા વોટ મળી રહ્યા છે. સર્વે દર્શાવે છે કે ઈન્ડિયા એલાયન્સ અહીં 39માંથી 35 સીટો જીતી શકે છે. જેમાં ડીએમકેને 21 અને કોંગ્રેસને 8 બેઠકો મળી શકે છે. અનુમાન મુજબ AIADMનું ખાતું નહીં ખુલે જ્યારે ડાબેરી પક્ષને 4 બેઠકો મળી શકે છે.

એક્ઝિટ પોલને લગતા અન્ય સમાચારો વાંચવા -જાણવા અહીં ક્લિક કરો

Next Article