AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha: મહારાષ્ટ્રના CMના પુત્ર શ્રીકાંત શિંદેએ કેમ લોકસભામાં કર્યો હનુમાન ચાલીસા પાઠ, જુઓ વીડિયો

શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ ગૃહમાં કહ્યું કે વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

Lok Sabha: મહારાષ્ટ્રના CMના પુત્ર શ્રીકાંત શિંદેએ કેમ લોકસભામાં કર્યો હનુમાન ચાલીસા પાઠ, જુઓ વીડિયો
Image Credit source: Tv9 ભારતવર્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 7:26 AM
Share

લોકસભા(Lok Sabha)માં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ ગૃહમાં જ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરી દીધું ત્યારે વાતાવરણ બદલાઈ ગયું હતું. આ સાથે તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે મહારાષ્ટ્રમાં કોઈ હનુમાન ચાલીસા પણ વાંચી શકતું ન હતું.

આ પણ વાંચો: Rahul Gandhi Funny Moment: PM મોદીને ગળે લગાવવાથી લઈને આંખના ઈશારા સુધી, લોકસભામાં રાહુલ ગાંધીની 5 ફની મોમેંટ્સ, જુઓ Video

મહત્વનું છે કે, ગૃહમાં આ ઘટના ત્યારે બની જ્યારે એક મહિલા સાંસદે પૂછ્યું કે શું તમને હનુમાન ચાલીસા આવડે છે. મહિલા સાંસદના આ સવાલ પર શ્રીકાંત શિંદેએ ગૃહમાં જ હનુમાન ચાલીસાના પાઠ કરવા માંડ્યા હતા. જ્યાં સુધી તેને રોકવામાં ન આવે ત્યાં સુધી તેણે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. તમને જણાવી દઈએ કે શ્રીકાંત શિંદેએ ગૃહમાં લગભગ 30 સેકન્ડ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.

શિવસેના સાંસદે ગૃહને જણાવ્યું કે વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. આજે પણ એવું જ થઈ રહ્યું છે. વિપક્ષ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો છે. વિપક્ષો કદાચ ભૂલી ગયા છે કે અગાઉ વર્ષ 2018માં જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો ત્યારે વર્ષ 2019માં એનડીએને વધુ બેઠકો મળી હતી. વર્ષ 2014માં એનડીએના 336 સભ્યો હતા જે વધીને 353 થઈ ગયા. વિપક્ષ હવે ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. આ વખતે 400 સીટો આવશે.

યુપીએ નામથી વિપક્ષ શરમ અવનુભવા લાગ્યા

શ્રીકાંત શિંદેએ કહ્યું કે, આજે ગૃહમાં જે ચર્ચા થઈ રહી છે તે અવિશ્વાસની નથી, પરંતુ અવિશ્વાસ સામે જનતાના વિશ્વાસની છે. વિપક્ષ ભૂલી રહ્યો છે કે જનતાનો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે. વિપક્ષે તેમના જોડાણનું નામ I.N.D.I.A. તેઓ હવે યુપીએ નામથી શરમ અનુભવી રહ્યા છે. યુપીએનું નામ આવતાં જ કૌભાંડો, આતંકવાદી હુમલા અને ભ્રષ્ટાચાર યાદ આવે છે.

પીએમ મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે

તમને જણાવી દઈએ કે મંગળવારના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી, ત્યારબાદ તમામ પક્ષોના નેતાઓએ ચર્ચામાં ભાગ લીધો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ દિવસ સુધી 18 કલાક સુધી ગૃહમાં ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે. અત્યાર સુધીની માહિતી મુજબ રાહુલ ગાંધી ગુરુવારે જ ગૃહમાં બોલશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
g clip-path="url(#clip0_868_265)">