WHOએ કોરોના સંકટ વચ્ચે આપી રાહત, ગંભીર દર્દીઓ માટે બે દવાઓને આપી મંજૂરી

|

Jan 14, 2022 | 8:29 AM

ય WHOએ મોનોક્લોનલ એન્ટીબોડી સોત્રોવિમેબને બિન-ગંભીર કોવિડ દર્દીઓ માટે મંજૂરી આપી છે.

WHOએ કોરોના સંકટ વચ્ચે આપી રાહત, ગંભીર દર્દીઓ માટે બે દવાઓને આપી મંજૂરી
File Image

Follow us on

દુનિયાભરમાં કોરોના (Covid-19) અને તેના નવા વેરિએન્ટ ઓમિક્રોને (Omicron)કહેર મચાવ્યો છે. તેનાથી બચવા અને સારવાર માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) બે નવી દવાઓને મંજૂરી આપી છે. WHOના નિષ્ણાંતોએ બેરિસિટિનિબ દવાને ગંભીર કોરોના દર્દીઓ માટે ઉપયોગ કરવાની વાત કહી છે. આ દવા આર્થરાઈટિસની સારવારમાં ઉપયોગ થાય છે. તે સિવાય WHOએ મોનોક્લોનલ એન્ટીબોડી સોત્રોવિમેબને બિન-ગંભીર કોવિડ દર્દીઓ માટે મંજૂરી આપી છે. સાથે જ કહ્યું છે કે સોત્રોવિમેબ તે લોકોને આપવામાં આવવી જોઈએ, જેમને હોસ્પિટલમાં દાખલ થવાનું રિસ્ક વધારે છે.

નિષ્ણાતોએ સૂચવ્યું કે ગંભીર કોવિડ દર્દીઓમાં કોર્ટીકોસ્ટેરોઈડ્સ સાથે બેરીસીટીનિબનો ઉપયોગ જીવન ટકાવી રાખવાની ટકાવારીમાં સુધારો કરે છે અને વેન્ટિલેટરની જરૂરિયાત ઘટાડે છે. WHOના દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું કે બેરિસિટિનિબના ઉપયોગથી ફાયદો થયો.

નિષ્ણાંતોએ સલાહ આપી કે બેરીસીટીનીબ અને IL-6 રીસેપ્ટર બ્લોકરની જેમ ટોસીલીઝુમાબ અને સેરીલુમાબની સમાન અસરો છે. તેથી તેનો ઉપયોગ તેની કિંમત અને ડોકટરોના અનુભવ પર આધારિત હોવો જોઈએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મોલ્નુપિરાવિરની માંગ વધી

જે રીતે ગયા વર્ષે બીજી લહેરમાં રેમડેસિવિરની માંગ થઈ હતી, તે રીતે આ વખતે મોલ્નુપિરાવિરની માંગ વધી છે. આ દવાને કોરોનાની દવા કહેવામાં આવી રહી છે. આ દવાનો કોર્સ 5 દિવસનો હોય છે અને કોરોના દર્દીઓને આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ એક એન્ટીવાયરલ ડ્રગ્સ છે. આ દવાનો ફ્લૂ એટલે કે ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે વિકસિત કરવામાં આવી હતી. આ એક ઓરલ ડ્રગ છે.

મોલ્નુપિરાવિર સંક્રમણ બાદ વાયરસની સંખ્યા વધારવાથી રોકે છે. જ્યારે વાયરસ શરીરમાં પહોંચે છે તો તે પોતાનું જીનોમ રેપ્લિકેટ કરે છે. તેની મદદથી તે પોતાની સંખ્યાને વધારે છે પણ ત્યારે તે કોરોનાથી સંક્રમિત કોષોને શોષી લે છે. દવાના કારણે ચેપગ્રસ્ત કોષોમાં એક પ્રકારની ખામી સર્જાય છે અને વાયરસ તેની સંખ્યા વધારવામાં અસમર્થ થઈ જાય છે. તેથી દવાની અસર આખા શરીરમાં થવા પર વાયરસ કંટ્રોલ થવા લાગે છે.

આ પણ વાંચો: ઓમિક્રોન સામેની લડતમાં N95 માસ્કને માનવામાં આવી રહ્યું છે સૌથી કારગર, એક અભ્યાસમાં થયો ખુલાસો

આ પણ વાંચો: IT Refund : આવકવેરા વિભાગે કરદાતાઓને 1.54 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ અહેવાલની મદદથી

Published On - 8:29 am, Fri, 14 January 22

Next Article