આખરે કફ સિરપમાં શું હતું જેનાથી 66 લોકોના મોત થયા ?

ભારતમાં કફ અને સિરપને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવે WHO આ મામલે તપાસ કરવા જઈ રહ્યું છે. તો જાણો આ કફ સિરપમાં શું હતું, જે લોકોના મોતનું કારણ માનવામાં આવે છે.

આખરે કફ સિરપમાં શું હતું જેનાથી 66 લોકોના મોત થયા ?
આખરે કફ સિરપમાં શું હતું જેનાથી 66 લોકોના મોત થયા ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 12:55 PM

Cough Syrup Controversey : ભારતનું કફ સિરપ ચર્ચામાં છે અને ચર્ચામાં આવવાનું કારણ ગામ્બિયામાં 66 લોકોના મોત છે. ગામ્બિયામાં મૃત્યુ પામેલા લોકોનું કનેક્શન કફ સિરપ સાથે જણાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ કફ સિરપ ભારતની કંપનીનુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. તેમજ કફ સિરપ અંગે પણ તપાસ થશે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે, આ કફ સિરપમાં એવું શું હતું જેના કારણે આટલા લોકોના મોત થયા.

તો ચાલો જાણીએ કફ સિરપમાં શું હતુ અને હવે આ ભારતીય કફ સિરપને લઈ શું જાણકારી સામે આવી છે સાથે જાણીએ કે, આ પહેલા પણ આવા કેટલાક કેસ સામે આવ્યા હતા. ત્યારે શું વાત સામે આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શું છે ગામ્બિયાનો કેસ ?

ડબલ્યુએચઓએ ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલી કફ અને સિરપને લઈ એલર્ટ જાહેર કર્યું છે. 4 સિરપના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તેમાં ભારતની ફાર્માસ્યુટિકલ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલી કફ અને સિરપ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, ગત્ત મહિને એટલે કે, સપ્ટેમબર મહિનામાં ગામિબયામાં 60 બાળકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બાળકોએ કફ સિરપ પીધી હતી જેના કારણે આ બાળકોના મોતના સમાચાર સામે આવ્યા. ત્યારબાદ સરકાર આ મૃત્યુ પાછળ વધુ તપાસ હાથ ધરી રહી છે.

કફ સિરપમાં શું મળ્યું હતુ ?

WHO દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં સામે આવ્યું કે, એક ફાર્માસ્યુટિકલના કફ અને કોલ્ડ સિરપમાં જરુરતથી વધારે ડાયથિલીન ગ્લાઈકોલ અને એથલીન ગ્લોઈકોલની માત્રા મળી આવી છે.કહેવામાં આવી રહ્યું છે કે આ સિરપ ગામ્બિયામાં બાળકોએ પીધું હતું.

શું હોય છે આ પ્રોડક્ટની અસર ?

હવે વાત કરીએ એ પદાર્થોની જે કફ સિરપમાં વધારે મળી આવ્યું હતુ. ડાયથિલીન ગ્લોઈકોલ એક રીતે કેમિકલ છે.જે અન્ય કેટલીક દવાઓની સાથે અન્ય પ્રોડક્ટમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને વધુ પડતી માત્રાના કારણે, તે ઝેરનું કામ કરે છે. આનાથી કિડનીની રોગપ્રતિકારક શક્તિ પર ખૂબ જ અસર પડે છે. આના કારણે ઝેરનું જોખમ સૌથી વધુ છે અને તેના સેવનથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઇથિલિન ગ્લાયકોલ પણ ઝેરી પદાર્થોમાં ગણાય છે. તેનો ઉપયોગ વાહનોમાં એન્ટિફ્રીઝ તરીકે પણ થાય છે. તેનો મોટાભાગનો ઉપયોગ ઠંડક માટે થાય છે. પરંતુ તેનું વધુ સેવન કરવાથી મૃત્યુ થઈ શકે છે. તે ઇથિલિન ઓક્સાઇડમાંથી મેળવવામાં આવે છે, જે ઇથિલિનમાંથી આવે છે.

કફ સિરપ પહેલીવાર ચર્ચામાં નથી?

ગત્ત વર્ષે દિલ્હીમાં કફ સિરપના કારણે 16 બાળકો બીમાર પડ્યા હતા, જ્યારે 3 બાળકોના મોત થયા હતા. તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપની આડ અસરથી બાળકોના મોત થયા છે. અગાઉ જમ્મુના ઉધમપુરમાં કફ સિરપ પીવાથી નવ બાળકોના મોત થયા હતા. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, જમ્મુમાં કફ સિરપમાં રહેલા ઝેરી સંયોજન ડાયથિલિન ગ્લાયકોલના કારણે બાળકોના મોત થયા હતા.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">