જ્યારે ચાંદ પર ઉતરશે ચંદ્રયાન 3, ત્યારે PM નરેન્દ્ર મોદી ક્યાં હશે ? જાણો 23 ઓગસ્ટનો તેમનો કાર્યક્રમ

ચંદ્રયાન-3 23 ઓગસ્ટ, બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે દેશમાં નહીં હોય. PM મોદી આવતીકાલ મંગળવાર સવારે દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ રહ્યા છે. તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને 24 ઓગસ્ટ સુધી દક્ષિણ આફ્રિકામાં જ રહેશે.

જ્યારે ચાંદ પર ઉતરશે ચંદ્રયાન 3, ત્યારે PM નરેન્દ્ર મોદી ક્યાં હશે ? જાણો 23 ઓગસ્ટનો તેમનો કાર્યક્રમ
PM Narendra Modi and Chandrayaan 3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 3:25 PM

ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન 3 ના ઉતરાણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 23 ઓગસ્ટના રોજ 6.04 મિનિટે સફળ લેન્ડિંગ થવાની ગણતરી છે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેનું વાહન લેન્ડ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે. સૌથી મોટી વાત એ છે કે, જ્યારે ઈસરો ઈતિહાસ રચશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે દિવસે દેશમાં નહીં હોય. PM મોદી આવતીકાલે એટલે કે 22 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે.

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ પીએમ મોદી મંગળવારે વહેલી સવારે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. PM મંગળવારે સાંજે 5 થી 6 વચ્ચે દક્ષિણ આફ્રિકા પહોંચશે. આ પછી તેઓ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી, બીજા દિવસે એટલે કે બુધવારે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. એવું જાણવા મળ્યું છે કે વડા પ્રધાનની મુલાકાત પર, વિદેશ સચિવ દ્વારા બુધવારે બપોરે 2 વાગ્યે એક બ્રીફિંગ આપવામાં આવશે. પીએમ મોદી 24 ઓગસ્ટ સુધી દક્ષિણ આફ્રિકામાં રહેશે અને ત્યારબાદ તેઓ ઇજિપ્ત જવા રવાના થશે.

પીએમ મોદી 14 જુલાઈના રોજ ફ્રાન્સમાં હતા

જણાવી દઈએ કે ઈસરોએ, 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. આ પછી, 5 ઓગસ્ટે ચંદ્રયાન સફળતાપૂર્વક ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું. PM મોદી 14મી જુલાઈએ લોન્ચિંગના દિવસે ભારતમાં ન હતા. તેઓ 13 જુલાઈના રોજ બે દિવસીય પ્રવાસ પર ફ્રાન્સ ગયા હતા. પીએમ મોદીએ 14 જુલાઈએ ફ્રાન્સની બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

પીએમ મોદીએ ચંદ્રયાન 2 દરમિયાન ઈસરોના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી

નોંધપાત્ર રીતે, 6 સપ્ટેમ્બર 2019 ના રોજ, પીએમ મોદી ચંદ્રયાન 2 મિશન દરમિયાન ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બેંગલુરુમાં ISRO મુખ્યાલય પહોંચ્યા હતા. પરંતુ 7 સપ્ટેમ્બરે, ચંદ્રયાન 2 ની અંતિમ ક્ષણોમાં, ISROનો લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો અને મિશન નિષ્ફળ ગયું. આ પછી પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને કહ્યું હતું કે આપણે નિરાશ થવાની જરૂર નથી. આખો દેશ આજે તેના વૈજ્ઞાનિકો સાથે ઉભો છે.

ચંદ્રયાન-3ને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">