કોરોનાને હરાવી ચૂકેલા ક્યારે લઈ શકે છે વેક્સિન ?

કેટલાક લોકોના મનમાં, રસી લેવા બાબતે મુંઝવતા સવાલો મનમાં થઈ રહ્યાં છે. જેમ કે જે લોકો જેઓ કોવિડથી સાજા થઈ ચૂક્યા હોય તેવા લોકો વેક્સિનનો ડોઝ લઈ શકે કે નહી ?

કોરોનાને હરાવી ચૂકેલા ક્યારે લઈ શકે છે વેક્સિન ?
કોરોનાને હરાવી ચૂકેલા ક્યારે લઈ શકે છે વેક્સિન
Follow Us:
| Updated on: May 06, 2021 | 12:35 PM

આ દિવસોમાં, કોરોના વાયરસના નવા વેરીયંટને અટકાવવા અને હર્ડ ઈમ્યુનિટીને વિકસાવીને લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે, દેશભરમાં હાલ રસીકરણ ચાલુ છે. પરંતુ રસીકરણની આ પ્રક્રિયા દરમિયાન, કેટલાક લોકોના મનમાં, રસી લેવા બાબતે મુંઝવતા સવાલો મનમાં થઈ રહ્યાં છે. જેમ કે જે લોકો જેઓ કોવિડથી સાજા થઈ ચૂક્યા હોય તેવા લોકો વેક્સિનનો ડોઝ લઈ શકે કે નહી ? કેટલાક એવા પણ સવાલ છે કે જેઓને લક્ષણ જણાતા હોય, rtpcr ટેસ્ટ કરાવ્યો હોય પણ રિપોર્ટ આવ્યો ના હોય તો તેવા લોકો પણ રસી લઈ શકે કે નહી ?

નિષ્ણાતોના મતે, રસી એક એવો વિકલ્પ છે જેના દ્વારા આપણે કોરોના વાયરસ સામે લડવા માટે આપણી રોગ પ્રતિકાર શક્તિ વધારીએ છીએ. આપણે સૌ એ બાબતથી જાણકાર છીએ કે, જેમની રોગપ્રતિકાર શક્તિ નબળી હોય તેવા કોરોના સંક્રમણનો આસાનીથી ભોગ બની રહ્યાં છે. આવી સ્થિતમાં જે લોકોએ વેકેસિન લીધી હોય તેવો કોરોના સંક્રમણનો સામનો કરી શકે છે. આવી વ્યક્તિઓ માટે કોરોના જીવલેણ બહુ નથી બનતો.

પરંતુ હવે સવાલ એ છે કે જે લોકો પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હોય, તેવા લોકોએ વેક્સિન લેવી જોઈએ કે નહી ? અથવા તો સાજા થયા બાદ કેટલો સમય જવા દેવો જોઈએ. જો તમને પણ કોરોના થઈ ગયો હોય અથવા થયો હોય તો આ બાબત તમારે જાણવી જરૂરી છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તબીબી સંશોધન મુજબ, કોરોના વાયરસની તમામ રસી 80 ટકા કરતા વધુ અસરકારક છે અને કોરોનાના દર્દીમાં જોવા મળતા જીવલેણ ગંભીર લક્ષણોની અસર ઓછી કરે છે. વધુને વધુ લોકોને કોરોનાની રસી અપાય તો કોવિડ19થી થતા મૃત્યુદર ખૂબ મોટી માત્રામાં ઘટાડી શકાય છે. એક વાર કોરોનાની રસી લીધા બાદ, બીજીવાર કોરોના થવાની શક્યતા નહીવંત છે.

સામાન્ય લોકો કોઈપણ સમયે રસી લઈ શકે છે. પરંતુ જેઓ તાજેતરમાં કોરોનાથી સાજા થયા છે, તેઓને થોડા અઠવાડિયા પછી જ રસી લેવી જોઈએ. આનું કારણ છે કે કોવિડ દર્દી સાજા થયા બાદ, કુદરતી જ રોગપ્રતિકાર શક્તિ મળે છે અને તેમાં હાજર એન્ટિબોડીઝ પણ તેમને સુરક્ષા પૂરી પાડે છે.

ઉપરાંત, જે લોકોએ તાજેતરમાં કોરોના પરીક્ષણ કરાવ્યું હોય છે, તેઓએ થોડા અઠવાડિયા પછી રસી લઈ શકે છે. જો તેમનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હોય તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તમે કોરોનાના સંક્રમણથી સંપૂર્ણપણે મુક્ત ના થાવ ત્યા સુધી રસી લેવી યોગ્ય નથી. કારણ કે રસીકરણ કેન્દ્રમાં તમે જ્યારે રસી લેવા જાવ ત્યારે તમે અન્યોને પણ કોરોનાથી સંક્રમિત કરી શકો છો.

કેટલાક તબીબી સંશોધન જણાવે છે કે COVID-19 સંક્રમિત વ્યક્તિ સાજા થાય ત્યારે તેમની, કુદરતી રોગપ્રતિકાર શક્તિ વધે છે. જે 90-180 દિવસ સુધી ચાલે છે. જો કે, દરેક દર્દીની રોગપ્રતિકારક શક્તિ જુદી જુદી હોઇ શકે છે, અને આ સિવાયના પહેલાથી જો કેટલાક ગંભીર પ્રકારના રોગ લાંબા સમયથી હોય તો અડચણરૂપ બની શકે છે. આથી કોરોનાથી સાજા થયાના 2 થી 8 અઠવાડિયા પછી રસી લેવાનું વધુ સારું રહેશે.

બીજી બાજુ, જો તમે રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને તે પછી તમે કોરોના પોઝીટીવ દર્દી સાથે સંપર્ક થયો હોય, તો તમારે 2 અઠવાડિયા પછી રસી લેવી જોઈએ.

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">