West Bengal Bypolls: પેટાચૂંટણી માટે મમતાએ નોંધાવી ઉમેદવારી, ભાજપની પ્રિયંકા ટીબરેવાલ સામે ટક્કર

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાંથી પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રી નોમિનેશન ફાઈલ કરવા માટે અલીપુર સર્વે બિલ્ડિંગ પહોંચ્યા હતા. મમતા બેનર્જી વર્ષ 2011 અને 2016માં ભવાનીપુર બેઠક પરથી જીત્યા છે.

West Bengal Bypolls: પેટાચૂંટણી માટે મમતાએ નોંધાવી ઉમેદવારી, ભાજપની પ્રિયંકા ટીબરેવાલ સામે ટક્કર
CM Mamata Banerjee (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 8:09 PM

પશ્ચિમ બંગાળ (West Bengal)ના સીએમ મમતા બેનર્જી (CM Mamta Banerjee)એ ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રમાંથી પેટાચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી નામાંકન પત્ર ભરવા માટે અલીપુર સર્વે બિલ્ડીંગ પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ 2011 અને 2016માં ભવાનીપુર બેઠક પરથી જીત મેળવી હતી. પરંતુ 2021માં તેઓ નંદીગ્રામ બેઠક પરથી શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શોભનદેબ ચટ્ટોપાધ્યાયે મમતા બેનર્જી માટે ભવાનીપુર બેઠક ખાલી કરી હતી, કારણકે તે નંદીગ્રામમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ પેટાચૂંટણી માટે પોતાનું અભિયાન શરૂ કર્યું હતું અને ભાજપ પર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ તેના પક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ટીએમસી (TMC) પાસે 213 બેઠકો

ગયા અઠવાડિયે ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા બેઠકો – ભવાનીપુર, જંગીપુર અને સંસેરગંજમાં 30 સપ્ટેમ્બરે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. TMCએ 294 સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 213 બેઠકો જીતીને મોટી જીત નોંધાવી. ભાજપની ચૂંટણીમાં હાર થઈ પણ 77 બેઠકો સાથે બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો, જોકે ચૂંટણી બાદ ભાજપમાં સતત ભાગદોડ થઈ રહી છે.

પ્રિયંકા ટિબરેવાલનો સામનો મમતા બેનર્જી સાથે 

પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની પ્રિયંકા ટિબરેવાલ ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ચૂંટણી લડશે. પાર્ટીએ મિલન ઘોષને સમસેરગંજ બેઠક પરથી અને સુજીત દાસને જંગીપુર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. પ્રિયંકા ટિબરેવાલ ચૂંટણી બાદ હિંસાના મામલે કોર્ટમાં મમતા સરકારને સતત ઘેરી રહ્યા છે. તે ભાજપના નેતા બાબુલ સુપ્રિયોની કાનૂની સલાહકાર રહી ચુક્યા છે. તે સુપ્રિયોની સલાહ બાદ જ ઓગસ્ટ 2014માં ભાજપમાં જોડાયા હતા.

2015માં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 58 (એન્ટલી)માંથી કોલકાતા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી લડી હતી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સ્વપન સમદાર સામે હારી ગયા હતા. ભાજપમાં તેમના છ વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમણે ઘણા મહત્વના કાર્યો સંભાળ્યા અને ઓગસ્ટ 2020માં તેમને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરે મતદાન થશે, જ્યારે 3 ઓક્ટોબરે મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં કોંગ્રેસે મમતા બેનર્જીની સામે કોઈ ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :  JioPhone Next : વિશ્વના સૌથી સસ્તા ફોન માટે દિવાળી સુધી કરવો પડશે ઇંતેજાર , RELIANCE આજે લોન્ચ કરવાનું હતું , જાણો ફોનની કિંમત અને ખાસિયત

આ પણ વાંચો :  Maharashtra : ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા મુંબઈમાં કલમ 144 લાગુ, 10 થી 19 સપ્ટેમ્બર સુધી રહેશે યથાવત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">