AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: પેટ્રોલ છાંટી કાર્યકરને જીવતો સળગાવી હત્યાનો પ્રયાસ, ઘટના બાદ બંગાળમાં રાજકારણ ગરમાયું

તૃણમૂલ દાવો કરે છે કે, ભાજપ ડ્રામા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખેજુરી-1 બ્લોકની ટીકાશી ગ્રામ પંચાયતમાં એક ઘટના બની હતી. છતનાબારી ગામમાં સોમવારે તૃણમૂલ કાર્યકરને ઝાડ સાથે બાંધીને તેના પર પેટ્રોલ છાંટીને મારવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો.

West Bengal: પેટ્રોલ છાંટી કાર્યકરને જીવતો સળગાવી હત્યાનો પ્રયાસ, ઘટના બાદ બંગાળમાં રાજકારણ ગરમાયું
West Bengal
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 11:46 AM
Share

Kolkata: પશ્ચિમ બંગાળમાં (West Bengal) રાજકીય લડાઈએ હવે તમામ હદ વટાવી દીધી છે. રાજકીય ઝગડાને લઈ ટીએમસીના (TMC) કાર્યકરને પહેલા ઝાડ સાથે બાંધી તેના પર પેટ્રોલ છાટવામાં આવ્યું અને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે બીજેપી (BJP) કાર્યકર્તાના ઘરને આગ લગાવવામાં આવી છે. આ આગમાં ઘર અને દુકાન બળીને ખાખ થયા છે. આગની ઘટનામાં ઘરમાં હાજર લોકોનો જીવ બચી ગયા છે.

તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો

સોમવારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર પર આગ લગાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે મંગળવારે બીજેપી નેતાના ઘરને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનાને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. BJP નો આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ રાત્રે આ ઘટનાને અંજામ આપ્યો છે.

પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી હત્યાનો પ્રયાસ

તૃણમૂલ દાવો કરે છે કે, ભાજપ ડ્રામા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખેજુરી-1 બ્લોકની ટીકાશી ગ્રામ પંચાયતમાં એક ઘટના બની હતી. છતનાબારી ગામમાં સોમવારે તૃણમૂલ કાર્યકરને ઝાડ સાથે બાંધીને તેના પર પેટ્રોલ છાંટીને મારવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઘર અને દુકાનમાં આગ લગાવી

સોમવારે ઉત્તમ બારિક અને અન્ય તૃણમૂલ નેતાઓ ચતનબારી ગામમાં આવ્યા હતા. ભાજપનો આરોપ છે કે નેતાઓએ ત્યાં જઈને ઉગ્ર ચર્ચા કરી હતી. આ દરમિયાન મોડી રાત્રે ભાજપના ડિવિઝનલ જનરલ સેક્રેટરી ગોપાલ પાલના ઘર અને દુકાનમાં આગ લગાવવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તૃણમૂલનો દાવો છે કે સોમવારે બનેલી આટલી મોટી ઘટના પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો : Breaking news Jammu and Kashmir: પુંછમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા

શાસક પક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભૂસાના ગોડાઉનમાં રાખેલા માલસામાનને હટાવીને આગ લગાવી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી બાદ પણ હિંસા ચાલુ છે. ચૂંટણી હિંસામાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">