Wealth Inequality: સૌથી ધનિક 98 લોકો પાસે દેશના 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ, ફક્ત 10 શ્રીમંતો રાષ્ટ્રના તમામ બાળકોને આગામી 25 વર્ષ સુધી ભણાવા સક્ષમ- Oxfam India

સંપત્તિની અસમાનતા પર, Oxfamના અહેવાલ પ્રમાણે 142 ભારતીય અબજોપતિ પાસે રૂ. 53 લાખ કરોડથી વધુની સંપત્તિ છે, જ્યારે તેમાંથી સૌથી ધનિક 98 લોકો પાસે હવે ભારતના સૌથી ગરીબ 40 ટકા એટલે કે 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ છે.

Wealth Inequality: સૌથી ધનિક 98 લોકો પાસે દેશના 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ, ફક્ત 10 શ્રીમંતો રાષ્ટ્રના તમામ બાળકોને આગામી 25 વર્ષ સુધી ભણાવા સક્ષમ- Oxfam India
richest 10 can fund education of every child for 25 years (Representative Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 2:23 PM

એક તરફ કોરોના મહામારી દેશના 84 ટકા પરિવારો માટે સમસ્યા બનીને ઉભરી છે, ત્યારે શ્રીમંતો માટે મહામારી વરદાન સમાન હતી. કોરોના દરમિયાન દેશના અબજોપતિઓની સંપત્તિ બમણીથી વધુ થઈ હતી અને તેમની સંખ્યા 39 ટકા વધીને 102થી 142 થઈ ગઈ. દેશના 10 સૌથી ધનિક લોકોની વાત કરીએ તો તેમની પાસે એટલા પૈસા છે કે તેઓ 25 વર્ષ સુધી દેશના બાળકોની શાળા અને ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઉઠાઈ શકે છે. સંપત્તિની અસમાનતા પર Oxfamના અહેવાલ પ્રમાણે 142 ભારતીય અબજોપતિ પાસે રૂ. 53 લાખ કરોડથી વધુની સંપત્તિ છે, જ્યારે તેમાંથી સૌથી ધનિક 98 લોકો પાસે હવે ભારતના સૌથી ગરીબ 40 ટકા એટલે કે 55.5 કરોડ લોકો જેટલી સંપત્તિ છે.

એનજીઓ Oxfam Indiaના રિપોર્ટ ‘Inequality Kills’માં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 100 સૌથી ધનિક લોકોની સામૂહિક સંપત્તિ વર્ષ 2021માં 57.3 લાખ કરોડની ટોચે પહોંચી ગઈ છે. ઓક્સફેમે સ્વિટ્ઝર્લેન્ડના Davosમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ઓનલાઈન એજન્ડા સમિટના પહેલા દિવસે આ રિપોર્ટ જાહેર કર્યો છે. છેલ્લા એક વર્ષમાં કોરોના મહામારીને કારણે દેશના 84 ટકા પરિવારોએ જીવન અને આજીવિકા ગુમાવવાના કારણે તેમની આવકમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો છે.

98 અબજોપતિ પર 1 ટકા ટેક્સ પૂરો પાડશે આયુષ્યમાન ભારતનો ખર્ચ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતના 98 અબજોપતિઓ પરના વેલ્થ ટેક્સમાં એક ટકાનો વધારો કરવામાં આવે તો દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ આયુષ્યમાન ભારતનો ખર્ચ સાત વર્ષથી વધુ સમય માટે નીકળી જશે. જ્યારે 10 સૌથી અમીર લોકો પર એક ટકાનો વધારાનો ટેક્સ લગાવવામાં આવે તો 17.7 લાખ વધારાના ઓક્સિજન સિલિન્ડર આપી શકાય છે. મહામારીની બીજી વેવ દરમિયાન જ્યારે દેશમાં ઓક્સિજન સિલિન્ડરની ભારે અછત હતી, ત્યારે આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબોની મફત સારવાર કરવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અસમાનતાના કડવા સત્યને ઉજાગર કરતો અહેવાલ

ઓક્સફેમ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું કે રિપોર્ટ અસમાનતાની કઠોર વાસ્તવિકતા તરફ ઈશારો કરે છે. આ અસમાનતા સમગ્ર વિશ્વમાં દરરોજ 21,000 લોકોને મૃત્યુ તરફ ધકેલી દે છે, જેનો મતલબ છે કે દર ચાર સેકન્ડે એક વ્યક્તિનું Wealth Inequalityના લીધે મૃત્યુ નીપજે છે.

આ પણ વાંચો: Gold Loan : જરૂરિયાત સમયે નાણાંની તકલીફ દૂર કરે છે આ વિકલ્પ, કઈ બેંકની ઓફર છે શ્રેષ્ઠ? નક્કી કરો અહેવાલ દ્વારા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">