AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શું ખરેખરમાં પહેલગામ હુમલામાં ચીની સેટેલાઈટ ફોનનો ઉપયોગ થયો છે?

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓએ એક શંકાસ્પદ 'હ્યુઆવેઇ સેટેલાઇટ ફોન'ની પ્રવૃત્તિને ટ્રેક કરી છે.

Breaking News: શું ખરેખરમાં પહેલગામ હુમલામાં ચીની સેટેલાઈટ ફોનનો ઉપયોગ થયો છે?
| Updated on: Apr 28, 2025 | 2:32 PM
Share

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓએ એક શંકાસ્પદ ‘હ્યુઆવેઇ સેટેલાઇટ ફોન’ની પ્રવૃત્તિને ટ્રેક કરી છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ , NIA ટીમ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ ‘હુઆવેઇ સેટેલાઇટ ફોન’ની પ્રવૃત્તિને ટ્રેક કરીને તેના પર ધ્યાન દોર્યું છે.

મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, હુમલા દરમિયાન આ ફોન ઘટનાસ્થળ પર હતો. વાસ્તવમાં, Huawei એક ચીની કંપની છે અને આ કંપનીના સેટેલાઇટ પ્રોડક્ટને ભારતમાં બેન કરવામાં આવ્યા છે. હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફોન પાકિસ્તાન અથવા અન્ય વિદેશી સ્ત્રોતથી ગુપ્ત રીતે ભારતમાં લાવવામાં આવ્યો હતો.

સૂત્રોનું મુજબ જાણવા મળ્યું છે કે, હુમલો કરનારા આતંકવાદીઓનો ચાર વખત સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ મોટી સંખ્યામાં લોકોની હાજરીને કારણે હુમલો કરનાર ડ્રોનનો ઉપયોગ કરી શક્યો નહીં. વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે, હુમલા દરમિયાન ઓછામાં ઓછા 10 લોકો એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા તેમના હેન્ડલર્સ સાથે ચેટ કરી રહ્યા હતા અને ફોન કરી રહ્યા હતા.

NIA આતંકી હુમલાનો પર્દાફાશ કરવા તૈયાર

NIA એ પહલગામ આતંકવાદી હુમલાની તપાસ પોતાના હાથમાં લીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, NIAના પોલીસ મહાનિરીક્ષક, નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ એક ટીમે જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી છે.

અધિકારીઓએ એ જણાવ્યું હતું કે, તેમની ટીમો આતંકવાદીઓ વિશેની કડી મેળવવા માટે સ્થળની એન્ટ્રી અને એક્ઝિટની સઘન તપાસ કરી રહી છે. ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી આ ટીમ સમગ્ર વિસ્તારમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવા માટે પુરાવા ભેગા કરી રહી છે.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">