AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tika Utsav: PM મોદીની અપીલ પર આજથી દેશભરમાં ‘ટીકા ઉત્સવ’ શરુ, વધુ રસીકરણ પર મુકાશે ભાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલથી આજથી દેશભરમાં ટીકા ઉત્સવ શરુ થઇ રહ્યો છે. આ દરમિયાન રશીકરણ યોગ્ય લોકોને વાળું વેક્સિન આપવા પર ભાર મુકવામાં આવશે.

Tika Utsav: PM મોદીની અપીલ પર આજથી દેશભરમાં 'ટીકા ઉત્સવ' શરુ, વધુ રસીકરણ પર મુકાશે ભાર
Art by Sudarshan (PTI Photo)
| Updated on: Apr 11, 2021 | 9:55 AM
Share

દેશમાં કોરોના વાયરસ સામેના યુદ્ધને વધુ તીવ્ર બનાવવા માટે આજથી ‘ટીકા ઉત્સવ’ની શરૂઆત થઇ રહી છે. કોરોનાની બીજી લહેર વચ્ચે આજે દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી રવિવાર 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટીકા ઉત્સવનો ઉદ્દેશ વધુને વધુ પાત્ર લાભાર્થીઓને રસી આપવાનો છે. આ દરમિયાન, ઘણા રાજ્યોએ પણ રસીની અછતની ફરિયાદ કરી છે, તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સપ્લાય પણ વધુ તેજ બનાવ્યું છે.

‘ટીકા ઉત્સવ’ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા ઘણા રાજ્યો યોગ્ય લોકોને રસી લેવા માટે અપીલ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ લોકોને ‘ટીકા ઉત્સવ’ દરમિયાન મોટી સંખ્યામાં રસી લેવાની અપીલ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે ભારતે 85 દિવસમાં 100 મિલિયન રસી લગાવી છે અને વિશ્વમાં સૌથી ઝડપથી ચાલતું રસીકરણ અભિયાન બની ગયું છે.

મંત્રાલયે કહ્યું કે અમેરિકાને રસીના 100 મિલિયન ડોઝ આપવામાં 89 દિવસનો સમય લાગ્યો છે જ્યારે ચીનને આ ઓપરેશન પૂર્ણ કરવામાં 102 દિવસનો સમય લાગ્યો હતો. વડા પ્રધાન કાર્યાલયે પણ એક ચાર્ટ ટ્વીટ કર્યું હતું જેમાં ભારતમાં સૌથી ઝડપી રસીકરણ દર્શાવવામાં આવ્યું હતું અને તેને ‘સ્વસ્થ અને કોવિડ મુક્ત ભારત માટે સખત પ્રયાસ’ ગણાવ્યો હતો.

ગુરુવારે મુખ્યમંત્રી સાથે કોવિડ -19 ની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમને અપીલ કરી કે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી અપાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘કેટલીક વાર આનાથી વાતાવરણ બદલવામાં મદદ મળે છે. જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ 11 એપ્રિલે છે અને 14 એપ્રિલે બાબા સાહેબની જન્મજયંતિ છે. શું આપણે ‘ટીકા ઉત્સવનું આયોજન કરીને ટીકા ઉત્સવનું વાતાવરણ બનાવી શકીએ?’

પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આપણે વિશેષ ઝુંબેશ દ્વારા વધુને વધુ પાત્ર લાભાર્થીઓને રસી આપવી જોઈએ અને વેક્સિન બિલકુલ બરબાદ ના થાય તેના પર વિચાર કરવો જોઈએ. જો ‘ટીકા ઉત્સવ’ દરમિયાન ચાર દિવસમાં બરબાદી ન થાય તો તે આપણી રસીકરણ ક્ષમતામાં વધારો કરશે.’ જ્યારે કેટલાક રાજ્યોએ રસીના સપ્લાયમાં અછતનો મુદ્દો ઉઠાવ્યો છે, ત્યારે કેન્દ્રએ કહ્યું છે કે તમામ રાજ્યોને રસીની પૂરતી સંખ્યા ફાળવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે જ્યોતિબા ફૂલેની જન્મજયંતી 11 એપ્રિલે છે અને 14 એપ્રિલે બાબા સાહેબની જન્મજયંતિ છે. આ અવસર પર ભારતમાં રસીકરણ અભિયાનને જોર દેવા માટે ટીકા ઉત્સવનું આયોજન થઇ રહ્યું છે.

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસ દરરોજ કેમ તોડે છે રેકોર્ડ? જાણો નિષ્ણાંતોએ આપ્યા કોરોના વધવાના કારણો

Follow Us
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">