Visa Scam Case: કાર્તિ ચિદમ્બરમ, ભાસ્કર રમન અને વિકાસ માચરિયાની જામીન અરજી પર 3 જૂને આવશે કોર્ટનો નિર્ણય

|

May 30, 2022 | 7:49 PM

સીબીઆઈએ (CBI) શનિવારે સતત ત્રીજા દિવસે આ કેસમાં કાર્તિ ચિદમ્બરમની 8 કલાક પૂછપરછ કરી હતી. તમને જણાવી દઈએ કે આ મામલો 2011નો છે, જ્યારે કાર્તિના પિતા પી ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહ મંત્રી હતા.

Visa Scam Case: કાર્તિ ચિદમ્બરમ, ભાસ્કર રમન અને વિકાસ માચરિયાની જામીન અરજી પર 3 જૂને આવશે કોર્ટનો નિર્ણય
Karti Chidambaram

Follow us on

વિઝા કૌભાંડ કેસ (Visa Scam Case) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં, વિશેષ સીબીઆઈ કોર્ટે કાર્તિ ચિદમ્બરમ (Karti Chidambaram), એસ ભાસ્કર રમન અને વિકાસ માચરિયાની આગોતરા જામીન અરજીઓ પર 3 જૂન માટેનો આદેશ અનામત રાખ્યો છે. કાર્તિ ચિદમ્બરમ, એસ ભાસ્કર રમન અને પૂર્વ TSPL વાઇસ પ્રેસિડેન્ટ વિકાસ માચરિયાએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સીબીઆઈએ શનિવારે સતત ત્રીજા દિવસે આ કેસમાં કાર્તિ ચિદમ્બરમની 8 કલાક પૂછપરછ કરી હતી.

તમને જણાવી દઈએ કે આ મામલો 2011નો છે, જ્યારે કાર્તિના પિતા પી ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહ મંત્રી હતા. CBIએ 14 મેના રોજ વેદાંતા જૂથની કંપની તલવંડી સાબો પાવર લિમિટેડ (TSPL)ના ટોચના અધિકારી દ્વારા કાર્તિ અને તેમના નજીકના સાથી એસ ભાસ્કર રમનને 50 લાખ રૂપિયાની લાંચ આપવા બદલ એફઆઈઆર નોંધી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સીબીઆઈ એફઆઈઆરમાં જણાવાયું છે કે લાંચ લઈને 263 ચીની કામદારોને પ્રોજેક્ટ વિઝા આપવામાં આવ્યા હતા. TSPL પંજાબમાં પાવર પ્લાન્ટ સ્થાપી રહી હતી. એફઆઈઆરમાં આરોપ છે કે પ્રોજેક્ટ વિઝા એ પાવર અને સ્ટીલ સેક્ટર માટે 2010માં રજૂ કરાયેલા ખાસ પ્રકારના વિઝા હતા, જેના માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે પી ચિદમ્બરમના કાર્યકાળ દરમિયાન વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જો કે, તેમને ફરીથી જાહેર કરવાની કોઈ જોગવાઈ નહોતી. આ કેસમાં તપાસ એજન્સી ભાસ્કર રમનની ધરપકડ કરી ચૂકી છે. સીબીઆઈ દ્વારા 17 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.

કાર્તિ ચિદમ્બરમે ઓમ બિરલાને પત્ર લખીને આ વાત કહી છે

શુક્રવારે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે સીબીઆઈના દરોડા પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને કહ્યું હતું કે સાંસદ તરીકેના તેમના વિશેષાધિકારોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને આવી સ્થિતિમાં તેમણે તાત્કાલિક તેની નોંધ લેવી જોઈએ. કાર્તિએ આરોપ લગાવ્યો હતો કે તેમની સામે પાડવામાં આવેલા દરોડા દરમિયાન CBI અધિકારીઓએ માહિતી અને ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિની અત્યંત ગોપનીય અંગત નોંધો અને કાગળો જપ્ત કર્યા હતા. તેમનું કહેવું છે કે તેઓ આ સંસદીય સમિતિના સભ્ય છે અને કેન્દ્રીય એજન્સીના લોકો દ્વારા તેમના સંસદીય વિશેષાધિકારોનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

Published On - 7:40 pm, Mon, 30 May 22

Next Article