AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં વેક્સિનેશનનો આંકડો 86 કરોડને પાર, 24 કલાકમાં 99.3 લાખ લોકોને મળી કોરોના વેક્સિન

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી રાહત મળતી દેખાય રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26 હજાર નવા કેસ નોંધાયા છે.

ભારતમાં વેક્સિનેશનનો આંકડો 86 કરોડને પાર, 24 કલાકમાં 99.3 લાખ લોકોને મળી કોરોના વેક્સિન
કોરોના વેક્સિનેશન (સાંકેતીક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 11:21 PM
Share

છેલ્લા 24 કલાકમાં દેશમાં 99.3 લાખથી વધુ લોકોને કોરોનાની રસી (Corona Vaccine) આપવામાં આવી છે. આ આંકડો કોવિન એપ (Cowin App) પર રાત્રે 9.12 સુધીનો છે. જ્યારે  દેશમાં રસીકરણનો આંકડો 86 કરોડને પાર કરી ગયો છે.

સવારે 7 વાગ્યા સુધી દેશમાં 86,01,59,011 વેક્સિનેશન થઈ ચૂક્યું છે. કુલ 1,03,71,418 આરોગ્ય સંભાળ કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 88,35,377ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 1,83,49,453 ફ્રન્ટલાઈન કર્મચારીઓને પ્રથમ કોરોના ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,48,33,709ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

તે જ સમયે દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી રાહત મળતી હોય તેવું દેખાય રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26 હજાર નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર આ માહિતી મળી છે. આ દરમિયાન કોરોનાને કારણે 276 લોકોના મોત થયા છે. આ દરમિયાન 29,621 લોકો કરોનાથી સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 97.78%છે.

કુલ સક્રિય કેસ 3 લાખથી ઓછા

હાલમાં દેશમાં સક્રિય કેસ પણ ઘટીને 2,99,620 પર આવી ગયા છે. આ આંકડો 191 દિવસ પછી સૌથી ઓછો છે. છ મહિનાથી પણ વધારે સમય બાદ પ્રથમ વખત દેશમાં આ રોગના સક્રિય કેસોની સંખ્યા ત્રણ લાખથી ઓછી જોવા મળી છે. જ્યારે કુલ સક્રિય કેસોમાંથી લગભગ 55 ટકા કેસ એકલા કેરળમાં છે. કેરળમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હાલમાં 1.63 લાખથી વધુ છે.

સતત ત્રીજા દિવસે 30 હજારની નીચે કેસ

જણાવી દઈએ કે આજે સતત ત્રીજા દિવસે કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 30 હજારની નીચે આવી છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યા 30થી 40 હજારની વચ્ચે આવી રહી છે. તે જ સમયે નિષ્ણાતોએ ત્રીજી તરંગની ચેતવણી જાહેર કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભલે હાલમાં કોરોનાની સ્થિતિ હવે સુધરતી જણાય, પરંતુ આ આંકડા ગમે ત્યારે વધી શકે છે.

પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી

સમગ્ર દેશમાં પરીક્ષણ ક્ષમતાનું વિસ્તરણ સતત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 11,65,006 પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 56.44 કરોડ (56,44,08,251) પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક પુષ્ટિ થયેલા કેસોનો દર 1.94 ટકા છે, જે છેલ્લા 94 દિવસોથી 3% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પુષ્ટિ થયેલા કેસોનો દર 2.24 ટકા છે. છેલ્લા 28 દિવસથી દૈનિક સકારાત્મકતા દર 3 ટકાથી નીચે અને સતત 111 દિવસ માટે 5 ટકાથી નીચે રહ્યો છે.

આ પણ વાંચો : Yemen: ચલણમાં થતો ઘટડો અને કથળતી અર્થવ્યવસ્થાથી પરેશાન લોકો રસ્તા પર ઉતરી આવ્યા, સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર કર્યો ગોળીબાર

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">