UP: ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન કાનપુરથી ઉડી ન શક્યું, રોડ માર્ગે લખનૌ જવા રવાના
કાનપુરથી લખનૌ પરત ફરતી વખતે ખરાબ હવામાનને કારણે પીએમ મોદીના પ્લેનને ક્લિયરન્સ ન મળ્યું. જેના કારણે તેઓ રોડ માર્ગે લખનૌ જવા રવાના થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે કાનપુરને ઘણા પ્રોજેક્ટ્સની ભેંટ આપી હતી. કાનપુરથી (Modi Kanpur Visit) લખનૌ પરત ફરતી વખતે ખરાબ હવામાનને કારણે પીએમ મોદીના પ્લેનને ક્લિયરન્સ ન મળ્યું. જેના કારણે તેઓ રોડ માર્ગે લખનૌ જવા રવાના થયા હતા. ખરાબ હવામાનને (Bad Weather) કારણે કાનપુરમાં શૂન્ય વિઝિબિલિટીને ધ્યાનમાં રાખીને, PMને લખનૌ સુધી પહોંચવા માટે રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો. વિઝિબિલિટીના અભાવે પીએમના પ્લેનને જવાની પરવાનગી આપવામાં આવી ન હતી.
પીએમ મોદી આજે IIT કાનપુરના 54માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. મોદીએ વિદ્યાર્થીઓને બ્લોકચેન ટેક્નોલોજી પર આધારિત ડિજિટલ ડિગ્રી આપવાની શરૂઆત કરી હતી. હવે તમામ વિદ્યાર્થીઓને IIT માં (Kanpur IIT) બનેલી બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રી આપવામાં આવશે. આ ડિજિટલ ડિગ્રી વૈશ્વિક સ્તરે ચકાસી શકાય છે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી લખનૌ પરત ફરવાના હતા. ખરાબ હવામાન અને ઝીરો વિઝિબિલિટીના કારણે પીએમના પ્લેનને ક્લિયરન્સ ન મળ્યું. આથી તે રોડ માર્ગે લખનઉ જવા રવાના થયા હતા. PM મોદી કડક સુરક્ષા વચ્ચે કાનપુરથી લખનઉ જવા રવાના થયા છે.
કાનપુરને મેટ્રોની ભેટ પીએમ મોદીએ આજે કાનપુરને મેટ્રોની ભેટ આપી હતી. પીએમ મોદીએ કાનપુરમાં સીએમ યોગી સાથે મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. આ સાથે પીએમે બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પછી પીએમ મોદીએ નિરાલા નગરમાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે આજે કાનપુરને મેટ્રો કનેક્ટિવિટી મળી છે. કાનપુર હવે બીના રિફાઈનરી સાથે પણ જોડાયેલું છે.
યુપીના અનેક જિલ્લાઓમાં ઝરમર વરસાદને કારણે ખરાબ હવામાન આ સાથે પીએમ મોદીએ અગાઉની સરકારો પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, અગાઉની સરકારો દરમિયાન રાજ્યમાં જે કંઈ પણ નુકસાન થયું છે તેની ભરપાઈ ભાજપ સરકાર કરી રહી છે. તેમણે કહ્યું કે ડબલ એન્જિનની સરકાર ડબલ સ્પીડથી કામ કરી રહી છે. પીએમએ કહ્યું કે શિલાન્યાસ પછી સરકાર કામ પૂર્ણ કરવા માટે દિવસ-રાત એક કરે છે.
કાર્યક્રમ પૂરો કર્યા બાદ જ્યારે પીએમ મોદી લખનૌ જવા રવાના થયા ત્યારે ખરાબ હવામાનને કારણે તેમના પ્લેનને ક્લિયરન્સ ન મળ્યું. આજે સવારથી યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે હવામાન ખરાબ થઈ ગયું છે.
આ પણ વાંચો : ભાજપ સરકાર ઓમિક્રોનના નામે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મોકૂફ રાખવાનું ષડયંત્ર કરી રહી છે: છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ