દેશ અને દુનિયામાં હેડલાઇન્સ બનાવનાર પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનને સોમવારે GST ચોરીના કેસમાં કાનપુર કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. GST ઈન્ટેલિજન્સનાં દરોડામાં કાનપુર અને કન્નૌજમાં વેપારીના ઘરેથી 194.45 કરોડ રૂપિયાથી વધુની રોકડ, 23 કિલો સોનું, 600 કિલો ચંદન મળી આવ્યું છે.
આ સાથે જ GST ઈન્ટેલિજન્સ ની પૂછપરછમાં વેપારીએ મોટા રહસ્યો ખોલ્યા છે. તેણે કબૂલ્યું છે કે રહેણાંક જગ્યામાંથી વસૂલ કરાયેલી રોકડ GST વિના માલના વેચાણ સાથે સંબંધિત છે. બીજી તરફ વિજિલન્સની ટીમ છેલ્લા 60 કલાકથી કન્નૌજમાં બિઝનેસમેનના ઘરે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ (DGGI) અનુસાર, કન્નૌજમાં દરોડા દરમિયાન અધિકારીઓ લગભગ 17 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં સફળ રહ્યા છે. સતત તપાસ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, ગત રવિવારે રાત્રે GST ઈન્ટેલિજન્સ ટીમે પીયૂષ જૈનની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહેલોમાં રહેતા આ અબજોપતિની રાત કાનપુરના કાકદેવ પોલીસ સ્ટેશનમાં જમીન પર વિતાવી હતી. પોલીસકર્મીઓનું કહેવું છે કે પીયૂષ જૈન આખી રાત ઊંઘી શક્યા નહોતા. પોલીસ ઉર્સલાને લઈ ગઈ છે, જ્યાં પીયૂષની કોવિડ તપાસ કરવામાં આવી હતી. જે બાદ સોમવારે એટલે કે આજે કોર્ટમાં રજૂ કરવામાંઆવ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ના ઇતિહાસમાં આ સૌથી મોટી રોકડ જપ્તી છે, આ આંકડો હજુ પણ વધી શકે છે. કારણ કે એવી આશંકા છે કે ભોંયરામાં પૈસા પણ છુપાયેલા છે અને આ માટે GST ટીમ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમની મદદથી ખોદકામ કરશે.
હવે દિવાલો અને ફ્લોરના સુરક્ષિત ખોદકામ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની ટીમની મદદ લેવામાં આવી રહી છે અને ટીમે દિવાલો, ફ્લોર, બેઝમેન્ટ અને ટનલના આકારની છાજલીઓનું માપ લીધું છે. સાથે જ કોંક્રીટની દિવાલ સાથે ઉભી રહેલી પ્લાય વોલ તોડીને નોટોનો થોકડો મળી આવ્યો છે. આ સાથે સુરંગ અલમીરામાં બોરીઓમાં નોટોના બંડલ પણ મળી આવ્યા છે. આ બંડલ્સ પર કાગળ પછી, ઉપરથી પીળી ટેપ જોડાયેલ છે. સાથે જ જૈનના ઘરમાંથી ડ્રમમાંથી સોના-ચાંદીના ઘરેણા પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો : PM Modi in Himachal: PM મોદીએ હિમાચલને 11000 કરોડના પ્રોજેક્ટની આપી ભેટ, કહ્યું- ભીડ દર્શાવે છે 4 વર્ષના કામની ગતિ